Get The App

નાસ્તાની ડીસો અને ચા ના કપ ફેંકી દેવાતાં નર્મદા પરિક્રમામાં અનેક સ્થળે ગંદકી

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
નાસ્તાની ડીસો અને ચા ના કપ ફેંકી દેવાતાં નર્મદા પરિક્રમામાં અનેક સ્થળે ગંદકી 1 - image

વડોદરાઃ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન ગંદકી ફેલાવતા કેટલાક તત્વો સામે ગ્રામજનો અને બીજા પરિક્રમાવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ઉત્તરવાહિની પરિક્રમા માટે રાજ્યના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો આવી રહ્યા છે અને ગ્રામજનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની સેવા પણ કરવામાં આવી રહી છે.

આમ છતાં કેટલાક બેદરકાર લોકો નાસ્તાની ડીસો અને ચા ના કપ સહિતનો કચરો જ્યાં ત્યાં ફેંકીને ગંદકી કરતા હોવાથી  સોશ્યલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.તો બીજીતરફ કેટલાક પરિક્રમા વાસીઓ થેલા લઇને રસ્તાનો કચરો ભેગો કરતા પણ જોવા મળી રહ્યા છે અને આવા તત્વોને કારણે સફાઇ કર્મચારીઓને પણ કામે લગાડી દેવામાં આવ્યા છે.