Get The App

લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
લખતરના ઘણાદમાં 25મી માર્ચે ખેડૂત મહાસભા યોજાશે 1 - image

તાલુકામાં ઘુડખરના ત્રાસ મામલે

વન વિભાગને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર -  લખતર તાલુકાના ઘણાદ તેમજ આસપાસના ૦૭ થી વધુ ગામોમાં ઘુડખરના ત્રાસ મામલે ખેડૂતો દ્વારા અગાઉ અનેક વખત વન વિભાગ સહિત આરએફઓ તેમજ લાગતા વળગતા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોએ આ મામલે ધરણા, રેલી, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો આપ્યા બાદ પણ તંત્ર દ્વારા ઘુડખરની સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે ખેડૂતો દ્વારા આ મામલે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે અને સૌ પ્રથમ આગામી તા.૨૫ માર્ચના રોજ ઘણાદ ખાતે ખેડુત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે હાલ ખેડુત આગેવાનો દ્વારા અલગ અલગ જગ્યાએ ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર નવા સકટ હાઉસ ખાતે આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં ઘુડખરની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.