Get The App

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામમાં એક વૃદ્ધના અકસ્માતે મૃત્યુનો બનાવ સામે આવ્યો છે. શેઠવડાળા પોલીસ મથકમાં નોંધાયેલી માહિતી મુજબ, આ બનાવ તા.27 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે 11:00 કલાકે બન્યો હતો.

મળતી વિગતો અનુસાર, મરણજનાર પરષોતમભાઈ મેઘજીભાઈ રામોલીયા (ઉંમર 70 વર્ષ, રહે. દલ દેવળીયા ગામ) પોતાના રહેણાંક મકાનમાં પલંગ પર સુતા હતા. તે સમયે ઉભા થવા જતા તેઓ અચાનક પલંગ પરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જાણવા મળ્યું છે કે મરણજનારને ઘણા સમયથી શુગરની બિમારી હતી તેમજ અગાઉ બાયપાસ સર્જરી પણ કરાવેલી હતી.

આ અંગે મૃતકના પુત્ર હિરેનભાઈ પરષોતમભાઈ રામોલીયા (રહેવાસી સુરત) દ્વારા જાણ કરવામાં આવતાં શેઠવડાળા પોલીસ મથકે પ્રકિયા હાથ ધરી છે. બનાવ અંગે સંબંધિત કલમ હેઠળ નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.