Gujarat

Covid19: ગુજરાતમાં હવે વ્યક્તિ મર્યાદા વગર પ્રસંગની ઉજવણી, મેળાવડાની છૂટ

By GS Team
28 Feb 20221 min read
This article was originally published on 28 Feb 2022
Covid19: ગુજરાતમાં હવે વ્યક્તિ મર્યાદા વગર પ્રસંગની ઉજવણી, મેળાવડાની છૂટ

અમદાવાદ : ગુજરાત રાજ્ય સરકારે કોરોનાના કેસમાં જોવા મળી રહેલા ઘટાડાના આધારે નિર્યણ લેતા રાજ્યમાં તમામ પ્રકારના નિયંત્રણ હટાવી લેવાની આજે જાહેરાત કરી છે. રાજ્યમાં ગત સપ્તાહથી, દરેક શહેર અને જીલ્લામાં રાત્રિ કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે. આજેનવી જાહેરાત અનુસાર રાજ્યમાં હવે સિનેમા હોલ, લગ્ન પ્રસંગ, અંતિમયાત્રા, બસ પ્રવાસ, જીમ, કોચિંગ કેમ્પ કે જાહેર મેળાવડા ઉપર વ્યક્તિ મર્યાદા પણ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આથી હવે કોઇપણ પ્રકારની કોરોના સંબંધિત  પરવાનગી વગર રાજ્યમાં દરેક પ્રસંગની ઉજવણી થશે કે લોકોને એકત્ર કરવાની છૂટ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે જોકે, જાહેરમાં માસ્ક ફરજીયાત, કામ કે મેળાવડાના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, જાહેર કે ઓફીસમાં સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવી, જાહેરમાં થૂંકવા જેવા નિયમો હજુ યથાવત રાખ્યા છે. રાજ્ય સરકારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકા તા. ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.