Get The App

જયસ્વાલ ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા માટે કોર્ટે સમય વધાર્યો

કરોડોના આર્થિક વ્યવહારની તપાસ માટે વધુ સમય માગ્યો હતો

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
જયસ્વાલ ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા માટે કોર્ટે સમય વધાર્યો 1 - image

વડોદરા : વડોદરા-ડભોઇરોડ પર આવેલ રતનપુર ગામના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં જિલ્લા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે મુદત વધારી આપવાની માંગ કરતા ન્યાયાધીશે અરજી મંજૂર કરી ચાર્જશીટ રજૂ કરવા માટે તા. ૧ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય વધારી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન જયસ્વાલ ગેંગના પાંચેય સભ્યો સામે ૩૩ જેટલા ગુનાઓ નોંધાયા હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ કેસમાં તા.૧૫ માર્ચ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની હોઇ વધુ સમયની માંગણી કરતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ગુનાઓ આચરીને મોટા પ્રમાણમાં આથક લાભ મેળવ્યો છે અને બેનામી મિલકતો વસાવી છે. પરિવારના કુલ ૩૫ જેટલા બેંક અને લોન ખાતાઓની વિગતો મળી છે, જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાયા છે. આ જટિલ આથક વ્યવહારોની તપાસ માટે સીએનો અભિપ્રાય લેવો અને  બેંકો પાસેથી માહિતી મેળવવી જરૃરી છે.

તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાયો હોવાથી અને રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવાની પ્રક્રિયા બાકી હોવાથી ચાર્જશીટ રજૂ કરવા માટે  તા.૧૨ એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય વધારી આપવામાં આવે. સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, અગાઉ પણ તપાસ માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો.વારંવાર સમય વધારાની માંગણી કરવી એ વ્યક્તિગત સ્વતંત્રતા તથા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.