વડોદરા,તરસાલીમાં ઘર પાસે પાન પડીકના પેકેટ નાખવાના મુદ્દે થયેલા ઝઘડામાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાઇ છે.
તરસાલી ઉમા વિદ્યાલય પાસે સિદ્ધેશ્વર હવનમાં રહેતા ગીતાબેન રાજેશભાઇ પાટણવાડિયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૨૯ મી તારીખે અમારા પાડોશમાં રહેતા માહીબેન જાદવ સાથે ઘર નજીક પડીકીના પેકેટ નાખવાના મુદ્દે તકરાર થતા તેમણે આંખમાં મરચાનો ભૂકો નાખી હુમલો કર્યો હતો. આ ઘટનામાં માહીબેન જાદવે ગીતાબેન તથા રાજેશભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી છે કે, દંપતીએ મને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


