Jamnagar : ફોરમ ઓફ સિવિલિયન પેન્શનર્સ એસોસીએશનના બેનર હેઠળ કેન્દ્ર સરકારે પેન્શન માટે બનાવેલ કઠોર નિયમોને સેન્ટ્રલ ગવર્મેન્ટના 8 માં પગાર પંચમાંથી દુર કરવાની માંગણી સાથે અને આ નિયમોનો વિરોધ દર્શાવા સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો, પી એન્ડ ટી પેન્શનર્સ એશો, બીએસએનએલ તથા ડોટ પેન્શનર્સ એશો, દ્વારા તા.13.02.2026ના સરદાર બાગ પાસે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ધરણા કરવામાં આવશે. જેમાં જામનગરના આગેવાનો પણ જોડાશે.
ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશન દ્વારા નક્કી કર્યાં મુજબ દરેક રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન માટે બનાવે કઠોર નિયમોને અને આ કઠોર નિયમોને સેન્ટ્રલ ગવર્મેન્ટના 8 માં પગાર પંચમાંથી દુર કરવાની માંગણી સાથે ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશનના બેનર હેઠળ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ધરણાનું તા.13.02.2026 ના સવારે 11 થી 13 વાગ્યા સુધીના ઓલ ઈન્ડિયા બીએસઇનો ડોટ પેન્શનર એસોસીએશન અને અન્ય સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો.અમદાવાદના એસોસિએશન સાથે મળી ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનને ઉદ્દેશી સીવીલીયન પેન્શનર્સ સહી એકત્ર કરાવી તા.13.02.2026ના 4:30 વાગ્યે કલેકટર (અમદાવાદ) ને આગેવાનો દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. ફેબ્રુઆરી માસમાં પોલીટીકલ પાર્ટીના આગેવાનો પણ સંપર્ક કરવામાં આવશે. જેસીએમ સ્ટાફ સાઈડ તરફ થી કોઈ પ્રોગ્રામ જાહેર કરવામાં આવે તો તેમાં જોડાઈ પ્રોગ્રામ સફળ બનાવવો. માર્ચના પ્રથમ અઠવાડિયામાં FCPAના આગેવાનોની મીટીંગમાં ભાવી કાર્યક્રમો નક્કી કરવાનું ઠરાવવામાં આવેલ હોવાનુ મનુભાઈ ચનિયારા (AIBDPA) ના ગુજરાતના સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડ કવાટરના વાઈસ પ્રેસિડેન્ટ જણાવે છે.


