શહેરના જેલરોડ સેન્ટ ઝેવિયર્સ નજીક
માથાના ભાગે ગંભીર ઈજા થતાં ટૂંકી સારવાર બાદ મોત, ગુનો નોંધાયો
શહેરની મિલિટ્રી સોસાયટીમાં રહેતા છત્રપાલસિંહ ગીરીરાજસિંહ ગોહિલ (ઉ.વ.૨૮) ગત રાત્રિના પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈને કોઈ કામ સબબ બહાર ગયા હતા અને રાત્રિના ૧૦ કલાકના અરસામાં શહેરના જેલરોડ સેન્ટ ઝેવિયર્સ સ્કુલના વળાંક પાસે પહોંચતા તેમનું બાઈક સ્લિપ થઈ જતાં તેમને માથા, ચહેર અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સર ટી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ રાત્રિના ૨.૩૦ કલાકના અરસામાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગીરીરાજસિંહ બહાદુરસિંહ ગોહિલે ફરિયાદ આપતા નિલમબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત પ્રમાણે મૃતક યુવકને સંતાનમાં એક ૮ વર્ષનો પુત્ર છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.


