Get The App

આજવારોડ પર પેટ્રોલ પંપ નજીક કેબીનમાં ઘુસી જતા બાઇક ચાલકનું મોત

વડસર બ્રિજ પર ૧૯ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
આજવારોડ પર   પેટ્રોલ પંપ નજીક કેબીનમાં ઘુસી જતા બાઇક ચાલકનું મોત 1 - image

 વડોદરા,આજવારોડ પર આજે બપોરે એક બાઇકસવાર યુવક પેટ્રોલપંપ નજીક આવેલી કેબીનમાં ધડાકાભેર ઘુસી જતા ગંભીર રીતે  ઘાયલ થયો હતો. તેનું મોત થતા પાણીગેટ  પોલીસે કાર્યવાહી  હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાલી ચાણક્યનગરીમાં  રહેતો ૨૬ વર્ષનો આદિત્ય રાજેન્દ્રભાઇ પરમાર સીસીટીવી કેમેરાનું ફિટિંગનું કામ કરતો હતો. આજે બપોરે તે બાઇક લઇને આજવારોડ  પરથી જતો હતો. આજવારોડ દૂધેશ્વરનગર સોસાયટીની સામે આવેલા પેટ્રોલ પંપ પર હવા ભરવાની કેબીનમાં તે બાઇક સાથે અથડાતા ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, તેનું મોત થયું હતું. જે અંગે પાણીગેટ  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માંજલપુર શ્રેયસ સ્કૂલની પાછળ કસ્તુરીનગરમાં રહેતો રવિન્દ્ર વનરાજભાઇ કઢે ગત ૨ જી ફેબુ્રઆરીએ બાઇક લઇને જતો હતો. તે દરમિયાન ગોત્રી હરિનગર બ્રિજ ચઢતા સમયે ડિવાઇડર સાથે અથડાતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૧૯ દિવસની સારવાર પછી તેનું મોત થયું છે.