Get The App

VIDEO : સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુધીનું લક્ષ્ય

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
Asha Malviya


Asha Malviya Solo Cycling Journey 2026 : ભારતીય સાયકલિસ્ટ અને પર્વતારોહક આશા માલવિયા હાલ સમગ્ર ભારતમાં એક અનોખી અને ઐતિહાસિક સોલો સાયકલિંગ યાત્રા પર નીકળી છે, ત્યારે 78મા ભારતીય સેના દિવસના અવસરે ‘નારી શક્તિ’ અને ‘દેશભક્તિ’ની હૂંકાર સાથે આશા 7000થી કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા કરી રહી છે. આજે શનિવારે (7 ફેબ્રુઆરી, 2026) પંચમહાલના ગોધરા શહેરમાં પહોંચતા આશાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


જયપુરથી કર્યો યાત્રાનો પ્રારંભ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નટરામ ગામની સાયકલિસ્ટ આશા માલવિયા જયપુર (દક્ષિણ પશ્ચિમી કમાન)થી લઈને અરુણાચલ પ્રદેશના અંજો જિલ્લામાં લોહિત નદીના કિનારે આવેલા ભારતના સૌથી પૂર્વ બિંદુ કિબિથુ સુધીની અંદાજે 7,800 કિલોમીટરની મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળી છે. 

આ યાત્રાનો પ્રારંભ 11 જાન્યુઆરી 2026ના રોજ જયપુરથી કરવામાં આવ્યો હતો. આજદિન(7 ફેબ્રુઆરી) સુધીમાં સાયકલિસ્ટે આશરે 2,250 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું છે અને આ યાત્રાના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લામાં આગમન કર્યું હતું. 

ગોધરામાં સાયકલિસ્ટનું સ્વાગત

ગોધરા શહેર ખાતે જિલ્લા સેવાસદન કચેરીએ પહોંચતા જ સાયકલિસ્ટ આશા માલવિયાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયકલિસ્ટ આશાને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું. તેમજ તંત્ર દ્વારા આશાને આ પ્રેરણાદાયી યાત્રા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાયકલિસ્ટ આશા માલવિયાએ સન્માન બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. 

સાયકલિંગ યાત્રાનો ઉદ્દેશ્ય

આશાએ સાયકલ યાત્રાને લઈને જણાવ્યું હતું કે, "દેશની એકતા, સેનાના સન્માન અને મહિલાઓના સશક્તિકરણ માટે આ યાત્રા પૂર્ણ કરવા હું પ્રતિબદ્ધ છે."

આ પણ વાંચો: જામનગરમાં પક્ષી ગણતરી માટે પ્રથમ દિવસે 16 ટીમ બનાવી ગણતરી કાર્યનો પ્રારંભ થયો : દરેકમાં પાંચ સભ્યોની ટીમ

યાત્રાની શરૂઆત અને રૂટ

મધ્યપ્રદેશના સ્થાપના દિવસથી આશાએ સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. જેમાં રાજસ્થાનના જયપુર સ્થિત સાઉથ વેસ્ટર્ન કમાન્ડના મુખ્ય મથકથી કરી હતી. ગુજરાતના વડોદરા બાદ આશા ગોધરા પહોંચી હતી. જેમાં વડોદરામાં આશાએ પોલીસ કમિશનર નરસિંહ કોમરની મુલાકાત લીધી હતી, તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાની યાત્રા અને તેના ઉદ્દેશ્યો વિશે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો.