હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં અશાંતધારાનો કાયદો અમલમાં હોવા છતાં કેટલીક જગ્યાએ-સોસાયટીઓમાં સ્થાનિકોની બેદરકારીથી અશાંતધારાના કાયદાનો લાભ મળતો નથી. પરિણામે ફેલાયેલા અસંતોષના કારણે હિન્દુ સમાજમાં અસમંજસનો માહોલ સર્જાયેલો જોવા મળે છે.
આવા જ એક વિષય પર હિન્દુ સમાજમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી હિન્દુ સમાજના એકત્ર થનાર તમામ સનાતનીઓ દ્વારા આ બાબતે સરકારને સતત કરવા અને કાયદાનો કડક અમલ કરાવવાની તાકીદ કરવાનું નક્કી કરાયું હતું. જેથી શહેરના તમામ હિન્દુ સનાતનીઓ એકત્ર થઈને મોરચા સ્વરૂપે દિવાળીપુરા સ્થિત નવી કલેકટર કચેરી ખાતે અશાંતધારાના કડક અમલ અંગે સરકારને જાગૃત કરવાના ઇરાદે કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરશે. જ્યાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સ્થાનિકો અશાંતધારા કાનૂન હોવા છતાં સતત અસુરક્ષા મેહસૂસ કરે છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા અશાંતધારા કાનુન ભંગ કરે તેમની સામે બંને પક્ષે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.








