Get The App

બીયુ પરમિશન નહીં હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ, સંજીવની હોસ્પિટલને 1 લાખનો દંડ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
બીયુ પરમિશન નહીં હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ, સંજીવની હોસ્પિટલને 1 લાખનો દંડ 1 - image

- કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા 

- હોસ્પિટલના સંચાલકોને 10 દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ રજૂ કરવા માટે નોટિસ અપાઈ

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલી સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલી સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બંને હોસ્પિટલ પાસે બીયુ પરમિશન નહીં હોવાથી કુલ રૂપિયા એક લાખનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ સંચાલકોને ૧૦ દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. 

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલા પ્લાન, બીયુ પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરાઈ હતી. આ બંને હોસ્પિટલના માલિક/કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી પરમિશન મેળવેલી ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા 'ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કાર્પોેરેશન એકટ ૧૯૪૯'ની જોગવાઈના ભંગ બદલ સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદારને વહીવટી ચાર્જ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ બંને હોસ્પિટલના સંચાલકોને ૧૦ દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં સુધી આ બિલ્ડીંગનો વપરાશ ન કરવા નોટિસ આપવામાં આવી છે, જો તેમ કરવામાં નહીં આવે તો કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ભોગવટાવાળી મિલકત વપરાશ કરતા અટકાવવામાં/સીલ કરવામાં આવશે.