Amreli news: સુપ્રીમ કોર્ટની વારંવાર ટકોર બાદ પણ રખડતાં શ્વાનનોને કાબૂમાં લેવા ન તો તંત્ર તસ્દી લઈ રહ્યું છે ન તો સરકાર, સામાન્ય નાગરિકો રોજ બરોજ રખડતાં શ્વાનના આતંકનો ભોગ બની રહ્યા છે. આજે 3 ફ્રેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે શ્વાને ભયનો માહોલ ઊભો કર્યો છે. એક બાળક સહિત 6 વ્યક્તિઓને બચકાં ભરી લેતા ઈજાગ્રસ્તો લીલીયા સિવિલમાં સારવાર અને રસી લેવા માટે મજબૂર બન્યા છે.
8 પશુઓને પણ કરડ્યું શ્વાન
મોટાલીલીયાના મફત પ્લોટ અને સાંઇનાથ પ્લોટ વિસ્તારમાં રખડતાં શ્વાન હાલ આતંક મચાવી રહ્યા છે. 6 લોકો ઉપરાંત 2 વાછરડી, 5 ગાયો, 1 પાડી સહિત 8 પશુઓને પણ શ્વાન કરડી ગયું છે. અતિશય ત્રાસ હોવા છતાં હજુ પણ તંત્ર દ્વારા શ્વાન પકડવાની તસ્દી લેવાઈ નથી જે કારણે અન્ય લોકો પણ ભોગ બને તેવી શક્યતાઓ છે.
કૂતરું કરડે ત્યારે શું કરવું?
-ઘાને નળ નીચે વહેતા પાણીમાં સાબુ અથવા એન્ટીસેપ્ટિક દવાથી 10 થી 15 મિનિટ ધોઈને સાફ કરવું.
-જેથી પ્રાણીની લાળમાં વાઈરસ હોય તો સાફ થઈ જાય જેથી ઈન્ફેકશન ઓછા પ્રમાણમાં લાગે.
-ઘાને ધોઈ સાફ કર્યા બાદ એન્ટીસેપ્ટિક દવા લગાવવી.
-કોઈપણ પ્રાણી કે કૂતરૂ કરડે તો બાધા કે ભુવા પાસે જવા કરતાં તાત્કાલિક રસી મુકાવો.
-સરકારી/પ્રાઈવેટ દવાખાનામાં હડકવાની રસી મુકાવવી. તેમજ હડકવાના તમામ ડોઝ નિયમિત સમયસર પૂર્ણ કરવા.
-રસી લેવા માટેનું કાર્ડ સાચવવું અને તમામ ડોઝ સમયસર લેવાય તે માટે સાથે રાખવું.
-પ્રાણી હડકવાના લક્ષણો ધરાવે છે કે કેમ ? જેની ખાત્રી કરવી અને ડોકટરને જાણ કરવી.
-જો પાલતું પ્રાણીઓ હોય તો તેને સમયસર રસી અપાવવી.
-પ્રાણીઓની સાર-સંભાળ કરતા લોકોએ પણ હડકવા ન થાય તે માટે હડકવાની રસીના ડોઝ અવશ્ય લેવા જોઈએ.
કૂતરું કરડે ત્યારે શું ન કરવું?
-પ્રાણી કરડયું હોય તો ઘા પર ખુલ્લા હાથે અડવું નહીં.
-પ્રાણી કરડયું હોય તો ઘા પર મરચું, હળદર કે ચૂનો લગાવવો નહીં. ઘા પર કોઈ તેલ પદાર્થ લગાવવો નહીં.
-અંધ વિશ્વાસ જેવા ટોચકા કરવા નહીં..નાના બાળકોને રખડતા પ્રાણીઓ સાથે રમવા દેવા નહીં.
આ પણ વાંચો: અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત
લક્ષણો શરૂ થઈ જાય, પછી હડકવાનો ઇલાજ શક્ય નથી
કૂતરું કરડે તો લાળ દ્વારા હડકવા થઈ શકે છે. શ્વાન, ગાય, ઘોડા, બકરા, સસલા અને જંગલી પ્રાણીઓ જેવા કે શિયાળ, ચામાચીડિયા, કોયોટ્સ, શિયાળ અને હાયના જેવા ખેતરના પ્રાણીઓ હડકવાથી સંક્રમતિ હોય શકે છે જેથી તકેદારી રાખવી જરૂરી છે. એકવાર લક્ષણો શરૂ થઈ જાય, પછી હડકવાનો ઇલાજ થઈ શકતો નથી.
હડકવાને કેવી રીતે ઓળખી શકાય, જાણો લક્ષણો
-હડકવાના લક્ષણો અને ચિહ્નો રોગના અંતિમ તબક્કા સુધી દેખાતા નથી, તે સમય સુધીમાં વાઇરસ મગજમાં ફેલાય છે જેના કારણે એન્સેફાલીટીસ, અને તરત જ મૃત્યુ.
-હડકવાનો ઇન્ક્યુબેશન પિરિયડ હોય છે, જેનો અર્થ છે કે લક્ષણો અને ચિહ્નો દેખાય તે પહેલા તે વ્યક્તિના શરીરમાં કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય રહે છે. પ્રારંભિક લક્ષણો છે માથાનો દુખાવો, ગળામાં દુખાવો, તાવ અને ડંખના સ્થળે કળતર.
-વધુ પડતી લાળ, ગળવામાં તકલીફ, ગળવામાં તકલીફને કારણે પાણીનો ડર, ચિંતા, મૂંઝવણ, જેવા લક્ષણો અનિદ્રા અને આંશિક લકવો અને ક્યારેક કોમા પણ હડકવા સૂચવે છે.
-વ્યક્તિ અવાજ, પ્રકાશ અને હવાના ઠંડા પ્રવાહ માટે પણ અસહિષ્ણુ છે. હવાનો ડર (એરોફોબિયા) જોવા મળે છે.


