- બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલા પ્રકરણમાં
- નવનીત બાલધિયાએ ડીજીપી જેલ વિભાગ ગુજરાતને પત્ર પાઠવી તપાસની માંગ કરી
ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બગદાણાના ચકચારી હુમલા કેસમાં બંધ જયરાજ માયાભાઈ આહીરને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વિવિઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નવનીત બાલધિયાએ તપાસની માગ કરી છે.ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. કરતા જણાવ્યું કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે.ગંભીર ગુનાના આરોપીઓને ખાસ મહેમાનગતિ પીરસાઈ રહી હોવાનો આક્ષેપ. જેલમાં કેદીઓને વૈભવી સુવિધાઓ અપાતી હોવાનો આક્ષેપ નવનીતભાઈએ કર્યો છે. બગદાણા પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ આહીર સહિતના અન્ય શખસોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, સાંજે ૬ વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે. અને અમુક કેસોમાં આરોપીઓને રાત્રે ૮ વાગ્યા સુધી જેલની બહાર અવરજવર કરવાની છૂટ આપવામાં આવતી હોવાની પણ માહિતી મળી છે.વધુમાંનવનીત બાલધિયાએ ઉચ્ચ કક્ષાએ પોતાની માગ સાથે રજૂઆત કરતા જણાવ્યું કે, જો જેલના સીસીટીવી ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ અને જેલ અધિકારીઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ડીજીપી જેલ વિભાગ ગુજરાત તથા ડીઆઈજી જેલ વિભાગ ભાવનગર રેન્જ તથા જેલ અધિક્ષક જિલ્લા જેલ ભાવનગરને પત્ર પાઠવી વિવિધ માંગણીઓની તપાસ કરવાની માગ કરી છે.
કોઈ સુવિધા આપવામાં નથી આવતી - જેલ અધિક્ષક
નવનીતભાઈ કરેલા આક્ષેપોને ફગાવતા જેલ અધિક્ષક પ્રજાપતિએ જણાવ્યું હતું કે,તમામ કેદી માફક અને જેલના નિયમ અનુસાર જયરાજ આહિરને રાખવામાં આવ્યો છે.તેમજ કોઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નહોવાનું જણાવી સમગ્ર બાબતને રદિયો આપ્યો હતો.


