Get The App

વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો

હવા પ્રદૂષણની સીધી અસર માત્ર પર્યાવરણ પર જ નહીં પરંતુ નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો 1 - image

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમથી હવા પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સરકારી આંકડા મુજબ હવાની ગુણવત્તાનું પ્રમાણ હવે મધ્યમથી જોખમી સ્તરે પહોંચતા પર્યાવરણની સાથે નાગરિકોના સ્વાસ્થય અંગે ચિંતાનો વિષય બન્યો છે.

શહેરમાં વધતી વસ્તી સાથે વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત શહેરની આસપાસ આવેલા કેટલાક ઉદ્યોગોમાંથી છૂટતા ગેસ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા વિકાસકામો અંતર્ગત ચારે તરફ થયેલું ખોદકામ તથા બાંધકામ સાઈટો પરથી ઉડતી ધૂળ હવા પ્રદૂષણમાં વધારો કરી રહી છે.

સરકારી તથા ખાનગી બાંધકામ સાઇટો પરથી કાટમાળ અને માટી ભરી દોડતા ડમ્પરો, કેટલાક બેદરકાર લોકો દ્વારા કચરો સળગાવવાની પ્રવૃત્તિઓ હવા પ્રદૂષણ ફેલાવે છે. હવાની ગુણવત્તા જાળવવા માટેના નિયમોનું સરેઆમ ઉલ્લંધન થતા શહેરની હવાની ગુણવત્તા નબળી બની છે. ખાસ કરીને, સવારે અને સાંજના સમયગાળામાં એ.ક્યુ.આઈ. (એર ક્વોલિટી ઈન્ડેક્સ) જોખમી આંકડાને સ્પર્શી રહ્યો છે, જે વડોદરાવાસીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

શહેરના પ્રથમ એર કવોલિટી સ્ટેશનથી જારી થયેલા એ.ક્યુ.આઈ. ડેટા મુજબ આજે વડોદરાનો એ.ક્યુ.આઈ.૧૫૪ નોંધાયો છે, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. આ ડેટા મુજબ પહેલી તારીખે વડોદરાનો એ.કયુ. આઈ. ૩૪૪ નોંધાતા વધુ જોખમી શ્રેણીમાં પહોંચ્યો હતો, જ્યારે ગઈકાલે એ.ક્યુ.આઈ. ૨૦૪ નોંધાતા જોખમી શ્રેણીમાં રહ્યો હતો.


મંગળ બજાર અનેસુભાનપુરામાં હવાની ગુણવત્તા કથળી

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનેના આજે સાંજે ૬ વાગ્યાના ડેટા મુજબ જાંબુઆ ખાતેએ.કયુ. આઈ. - ૨૩૧, ટ્રાન્સપેક - ૨૧૫, બાપોદ- ૨૦૧ અને મંગળ બજાર ખાતે- ર૯૯ નોંધાતા ઓરેન્જ કેટેગરીમાં જોખમી સ્થિતિ જોવા મળી હતી. જ્યારે સુભાનપુરામાં એ.ક્યુ.આઈ.-૩૦૩ નોંધાતા રેડ ઝોનમાં પહોંચી વધુ જોખમી સ્થિતિ સર્જાઈ હતી. પીએમ - ૨.૫નું પ્રમાણ ટ્રાન્સપેક ખાતે ૯૫.૪૯ અને મંગળ બજારમાં ૧૧૦.૭૨ નોંધાયું હતું, જ્યારે પીએમ – ૧૦નું પ્રમાણ મંગળ બજાર ખાતે ૨૩૨.પર નોંધાયું હતું, જે જોખમી શ્રેણીમાં આવેછે.


 કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત હવાની ગુણવત્તાની સતત દેખરેખ માટે જીપીસીબી દ્વારા શહેરમાં પ્રથમ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન કારેલીબાગ સ્થિત સવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યરત કરાયું છે. અહીં બહાર લગાવવામાં આવેલા એલસીડી ડિસ્પ્લે દ્વારા લોકોનેરિયલ ટાઈમએ.ક્યુ.આઈ. ડેટા મળી રહેશે. આ સ્ટેશનથી એકત્ર થતો ડેટા જીપીસીબી તથા સીપીસીબીના સર્વર પર પહોંચશે, જેથી વેબસાઇટ તથા સમિર એપ પર પણ નાગરિકો હવાની ગુણવત્તાની માહિતી રિયલ ટાઈમ જાણી શકશે.