Gujarat

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્ત કરી ચિંતા

By GS TEAM
12 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસે આજે (12મી ફેબ્રુઆરી) રીજનલ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર, ગાંધીનગર અને અમદાવાદ રેન્જ IG, JCP અને DCP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કોન્ફરન્સમાં વધતા વાહનવ્યવહારને કારણે થતી ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવા અને સાયબર ફ્રોડ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્ત કરી ચિંતા

Ahmedabad Crime Conference: અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસે આજે (12મી ફેબ્રુઆરી) રીજનલ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર, ગાંધીનગર અને અમદાવાદ રેન્જ IG, JCP અને DCP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કોન્ફરન્સમાં વધતા વાહનવ્યવહારને કારણે થતી ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવા અને સાયબર ફ્રોડ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા થઈ હતી.

સાયબર ક્રાઇમ અને ટ્રાફિક સમસ્યા નિવારવા પર ભાર

ઈન્ચાર્જ DGP કે.એલ.એન રાવએ જણાવ્યું કે, 'આ કોન્ફરન્સમાં વર્ષ 2025ના ક્રાઈમ પ્રોફાઈલ અને જાન્યુઆરી 2026ના ગુનાખોરીના આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સામે પોલીસ દ્વારા ગુનાઓના ડિટેક્શનમાં પણ વધારો જોવા મળ્યો છે. મિલકત સંબંધિત ગુનાઓમાં ડિટેક્શન રેટ હજુ વધુ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે 'નેત્રમ' અને ત્રિનેત્રમ પ્રોજેક્ટ હેઠળ ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાતમાં સીસીટીવી કવરેજ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી છે.'

આ પણ વાંચો: અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ વધારાયો, આગામી વર્ષથી પરંપરામાં કરાશે ફેરફાર

સાયબર ફ્રોડ અંગે તેમણે જણાવ્યું હતું કે, 'સિનિયર સિટીઝન્સ સાયબર ફ્રોડના ગુનાઓનો વધુ ભોગ બનતા હોવાથી તેમનામાં જાગૃતિ ફેલાવવામાં આવશે. સાયબર એક્સપર્ટ્સ અને બેન્ક અધિકારીઓના સંકલનથી મ્યુલ એકાઉન્ટ્સ અંગે કેમ્પેન કરશે. નાર્કોટિક્સ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસને વધુ સક્ષમ બનાવવા માટે પ્રથમ તબક્કામાં 9,000 જવાનોની ભરતી પૂર્ણ થઈ છે અને બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.'