વડોદરા,થોડા દિવસ પહેલા કલાલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખી યુવકની હત્યા કરીને ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
માંજલપુર વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના પુજાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિ જી.આઇ.ડી.સી.માં કામ કરે છે. ગત તા. ૨૯-૦૪-૨૦૨૬ ના રોજ અમદાવાદ દહેગામમાં લગ્ન પ્રસંગમાં દર્શન મારવાડી (રહે. પીળા વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા) એ એક મહિલાનો હાથ પકડી લઇ છેડતી કરી હતી. તે બાબતે દર્શન મારવાડીને સમાજમાં નીચું જોવાનું થયું હતું. જેની અદાવત રાખી ગત ૩ જી તારીખે હું અને મારા પતિ એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા હતા. તે સમયે દર્શન મારવાડીએ ચાકૂથી હુમલો કરી મારા પતિની હત્યા કરી હતી. હત્યા કરીને આરોપી દર્શન મારવાડી પાદરા, અટલાદરા, વાપી અને મુંબઇ ભાગી ગયો હતો. મુંબઇથી વડોદરા પરત આવતા સમયે કપુરાઇથી તે પકડાઇ ગયો હતો.


