Gujarat

આઠ વર્ષની બાળકીનુ અપહરણ કરી બદકામ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
આઠ વર્ષની બાળકીનુ અપહરણ કરી બદકામ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

- સુરત રેલ્વે પોલીસની હદમાં ત્રણ વર્ષ પહેલાં બનેલાં ગુનામાં આરોપી રાજારામ વિશ્વકર્મા ને તમામ ગુનામાં દોષી ઠેરવાયો

(પ્રતિનિધિ દ્વારા)સુરત,શુક્રવાર

આજથી ત્રણેક વર્ષ પહેલાં સુરત રેલ્વે પોલીસે આઠ વર્ષની બાળકીનુ અપહરણ કરી બદકામના કરીને તેના પગમાંથી ચાદીના સાકળા લુટવાના કેસમાં જેલભેગા કરેલા આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલત ના જજ શ્રીમતી આરતીબેન અદ્વેત વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવી બળાત્કાર ના ગુનામાં 20 વર્ષની સખ્તકેદ તથા10 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.કોર્ટે ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.9 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

સુરતના ઉત્રાણ રેલ્વે સ્ટેશનની પાછળના ભાગે આવેલી ઝૂપડપટ્ટીમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષની બાળકી ગ ઈ તા.14 માર્ચ 2019ના રોજ પોતાની ફરિયાદી બહેન સાથે સૂતી હતી.જે દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ધામ જિલ્લાના વતની 23 વર્ષીય આરોપી બુધ્ધિવિલાસ રાજારામ વિશ્વકર્માએ બાળકીને બદકામના ઈરાદે ઉપાડી જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીએ ભોગ બનનાર ના પગમાંથી ચાદીના સાકળા લુટીને બાળકીને બેભાન હાલતમાં મુકીને નાસી ગયો હતો.

જેથી ભોગ બનનાર બાળકીએ લોહીલુહાણ હાલતમાં ભાનમાં આવ્યા બાદ સમગ્ર ઘટના પોતાની બહેનને જણાવતા સુરત રેલ્વે પોલીસમાં આરોપી રાજારામ વિશ્વકર્માની અપહરણ, દુષ્કર્મ, લુટ તથા પોકસો એકટના ભંગના ગુનામાં ઘરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવા તથા સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 12 મુખ્ય સાક્ષી,ચાર સ્વતંત્ર સાક્ષી 41 પંચ સાક્ષી ચાર તબીબ પોલીસ સાક્ષી તથા 29 દસ્તાવેજી પુરાવાથી

ફરિયાદ પક્ષનો કેસ નિ:શકપણે સાબિત કર્યો હતો.સરકાર પક્ષે સાયોગિક પુરાવાની ક્રમબધ્ધ કડી જોડીને આરોપી સામેના ગુનાને સાકળતી કડી પુરવાર કરી હતી.

જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનાર બાળકી સાથે આટલી નાની ઉંમરે જે બનાવ બન્યો છે તેની માનસિક અસર આજીવન રહેશે.બાળકીએ ભોગવેલી સર્જરીની શારીરિક પીડાનુ વળતર મળવું ન્યાયી અને જરૂરી છે.