Get The App

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો 1 - image

જામનગર જીલ્લાના ધ્રોલના ફાયરીંગ પ્રકરણમાં જે તે વખતે ઝડપાયા પછી ત્રણ વર્ષ પહેલાં જામીનમુક્ત થઈ નાસી ગયેલા ઉત્તરપ્રદેશના શાર્પ શૂટરને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે પકડી લીધો છે. 

ધ્રોલના ત્રિકોણ બાગ પાસે વર્ષ 2020માં એક યુવાન ની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા નિપજાવાઈ હતી. તેની ફરિયાદ પોલીસમાં થયા પછી તપાસ દરમિયાન આરોપીઓ એ ઉત્તરપ્રદેશના ગૌડા જિલ્લાના અખિલેશસિંગ રામઉદારસિંગ રાજપૂત ઉર્ફે બબલુ સહિતના શખ્સોને ફાયરીંગ માટે બોલાવ્યા હોવાની વિગત ખુલવા પામી હતી. પોલીસે આઈપીસી હત્યા સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપી પૈકીના અખિલેશ ઉર્ફે બબલુ એ વર્ષ 2023માં જામીન મેળવ્યા પછી નાસી ગયો હતો. આ શખ્સને જામનગર ની પેરોલ ફર્લો ટીમે રાજકોટ માંથી ઝડપી લીધો છે, અને જેલમાં ધકેલી દીધો છે.

વેટ ચોરીના ગુનામાં ફરાર આરોપી 16 વર્ષે જામનગર પોલીસના હાથે ઝડપાયો

જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં વેટ અંગે એક ગુન્હો નોંધાયો હતો. જેમાં પટેલ કોલોની વિસ્તારમાં અગાઉ વસવાટ કરતા સંજય રાધેલાલ ગુપ્તાનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ અમદાવાદના સાઉથ બોપલ પાસે પણ રહેતો હતો. ઉપરોક્ત આરોપી જામનગરની પટેલ કોલોનીમાં આવ્યો હોવાની બાતમી પરથી પેરોલ ફર્લો ટીમ ત્યાં દોડી ગઈ હતી અને 16 વર્ષથી નાસતા ફરતા આ શખ્સને ઝડપી લીધો હતો.