Get The App

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

Jamnagar : જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતી શાંતિબેન મહેશભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરિણીતાએ પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પતિ મહેશભાઇ જયંતીભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક શાંતીબેનના પુત્ર દેવલ કે જે પોતાની સાયકલમાં હવા ભરી રહ્યો હતો, જે દરમિયાન તેની ટ્યુબ ફાટી ગઈ હતી, તેથી દેવલના પિતા મહેશભાઈએ બાળકને ઠપકો આપ્યો હતો, અને ખીજાયા હતા. જેનું શાંતીબેનને મનમાં લાગી આવતા ગળાફાંસા દ્વારા આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.