- મૃતક યુવાનના માતા-પિતાને વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
- 7 વર્ષ પૂર્વે થયેલી મારામારીની ઘટનામાં એક યુવાને સારવારમાં દમ તોડયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર રંગપર ગામે રહેતા તેજાભાઈ વેલાભાઈ તાવિયાના કુટુંબી ભાઈને ગટરના કામે જેસબી ચલાવવા બાબતે તત્કાલિન સરપંચ રમેશ પ્રેમજીભાઈ કુકડિયા સાથે બોલાચાલી થતાં સરપંચે તેમને લાફો ઝીંકી દીધો હતો. જેથી અમીતભાઈ પ્રેમજીભાઈ તાવિયા અને તેજાભાઈ તાવિયા તેમની વાડીએથી બાઈક લઈને ચંદુ ગગજીભાઈ તાવિયાના ઘરે જતાં સરપંચ રમેશ પ્રેમજીભાઈ કુકડરિયા, જગદીશ પ્રેમજીભાઈ કુકડિયા, જયંતી પ્રેમજીભાઈ કુકડિયા, મુન્ના ધનજીભાઈ કુકડિયા, રવિ જેસાભાઈ કુકડીયા અને ડુટેસ રતુભાઈ પરમાર સહિતના શખ્સોએ પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરી અમીતભાઈ તાવિયાને આરોપી રવિ કુકડિયાએ ખંભાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે તેજાભાઈ તાવિયાએ તમામ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદના આધારે પાળિયાદ પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૪, ૩૨૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપીએ ૧૩૫ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી શખ્સોને ઝડપી લીધા હતા. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે.પરાશરની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો, રજૂઆતો, ૫૨ દસ્તાવેજી પુરાવા, ૨૬ સાહેદોની તપાસને ગ્રાહ્ય રાખી પૂર્વ સરપંચ રમેશ કુકડિયા, ભરત કુકડિયા, રવિ કુકડિયા, રમેશ પરમાર, વિપુલ કુકડિયા અને જગદીશ કુકડિયાને ૭-૭ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે. તેમજ મૃતકના માતા-પિતાને યોગ્ય વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.


