Gujarat

તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા

By GS TEAM
9 May 20261 min read
તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા

ભાવનગર એસ.ટી. વિભાગના આઠ ડેપો-પરિસરમાં

ધુ્રમપાન, પીચકારી મારતા અને ગંદકી ફેલાવતા મુસાફરો પાસે ૩,૮૩૦ના દંડની વસૂલાત કરાઈ

ભાવનગર - ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન બસ સ્ટેન્ડ અને એસ.ટી.ના પરિસરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા ૨૫૬ મુસાફરોને પકડી પાડી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

વચ્છતા હી સેવા અને સ્વચ્છતા હી પરમો ધર્મના સૂત્ર સાથે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા બસ કે બસ સ્ટેશનમાં ગંદકી ફેલાવતા, ધુ્રમપાન કરતા અને પાન-માવાની પીચકારી મારતા મુસાફરો સામે એપ્રિલ માસ દરમિયાન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ કાર્યવાહી કરી ભાવનગર ડેપોમાં ૩૬ મુસાફરોને પકડી રૃપિયા ૭૩૦નો દંડ વસૂલાયો હતો. તેવી જ રીતે તળાજા ડેપોમાં ૨૯ (રૃા.૫૮૦), મહુવા ડેપોમાં ૩૦ (રૃા.૬૬૦), પાલિતાણા ડેપોમાં ૩૦ (રૃા.૩૭૦), ગારિયાધાર ડેપોમાં ૨૯ (રૃા.૨૯૦), બરવાળા ડેપોમાં ૨૯ (રૃા.૩૭૦), બોટાદ ડેપોમાં ૩૦ (રૃા.૪૭૦) અને ગઢડા ડેપોમાં ૩૦ (રૃા.૩૬૦) મળી કુલ ૨૫૬ કેસ કરી રૃા.૩,૮૩૦ના દંડની વસૂલાત કરાઈ હતી. દંડનિય કાર્યવાહીથી બચવા માટે મુસાફરોને બસ કે બસ ડેપોના પરિસરમાં ધુ્રમપાન ન કરવા, પીચકારી ન મારવા અને કચરો ડસ્ટબીનમાં જ નાંખવા વિભાગીય નિયામક પીલવાઈકરે અનુરોધ કર્યો છે.