Gujarat

સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો, તાત્કાલિક સુનાવણી કરવાની માગ

By GS Team
30 Sep 20241 min read
This article was originally published on 30 Sep 2024
TukuTouch Logo
સોમનાથમાં કોઈ પણ નોટિસ વગર કરવામાં આવી રહેલા ડિમોલિશન સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ચીફ જજ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માગ કરવામાં આવી હતી. આ મુદ્દે ચીફે જસ્ટિસે આજે રજૂઆત કરવા જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો, તાત્કાલિક સુનાવણી કરવાની માગ

Somnath Demolition Matters in High Court : સોમનાથમાં કોઈ પણ નોટિસ વગર કરવામાં આવી રહેલા ડિમોલિશન સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ચીફ જજ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માગ કરવામાં આવી હતી. આ મુદ્દે ચીફે જસ્ટિસે આજે રજૂઆત કરવા જણાવ્યું હતું. 

સોમનાથમાં દબાણ હટાવી 102 એકર જમીન ખુલ્લી કરાઈ

સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 9 મસ્જિદ સહિત 45 પાકા મકાનોને તોડી પાડી 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોના ટોળા એકત્ર થતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરાઈ હતી. 

આ પણ વાંચો : વડોદરાવાસીઓને હાશકારો..!! વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમે-ધીમે ઘટાડો નોંધાયો, આજવા ડેમના 62 ગેટ બંધ

જ્યારે મેગા ડિમોલીશનની કામગીરીમાં 50 ટ્રેક્ટર, 58 જેસીબી, 18 ડમ્પર, 5 હિટાચી, 4 હાઈડ્રા, 2 એમ્બ્યુસન્સ સહિતના સાધનો સાથે રાખવામાં આવ્યા હતા.

કલેક્ટર સહિતના પોલીસ અધિકારી સ્થળ પર હાજર

મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો સહિત અન્ય વિભાગના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યા હતા. જ્યારે ડિમોલીશન દરમિયાન પાંચ કિલોમીટરના વિસ્તારમાં અવરજવર બંધ કરાઈ હતી. આ દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિના ભેગા ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે.