- એક પુસ્તકના આધારે ફિલ્મ બનાવાશે
- ભૂષણ કુમાર સહ નિર્માતા હશેઃ ફિલ્મના કલાકારો તથા રીલિઝ ડેટની હજુ જાહેરાત નહિ
મુંબઇ : વિવેક અગ્નિહોત્રીએ ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની સત્તાવાર ધોષણા કરી છે. જોકે, ફિલ્મના કલાકારો કે રીલિઝ ડેટની જાહેરાત કરાઈ નથી. ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મના સહ નિર્માતા હશે.
તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતીય જાસૂસનાં ઓપરેશનની ફિલ્મ 'ધુરંધર'ના બે ભાગ હિટ થયા છે તે પછી આ જાહેરાત આવી છે. 'ધુરંધર'નો પહેલો ભાગ હિટ થયો તે અરસામાં જ વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મ પ્લાન કરી રહ્યો હોવાની ચર્ચા હતી. વિવેક અગ્નિહોત્રીની જાહેરાત અનુસાર આ ફિલ્મ લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોના પુસ્તક 'ઓપરેશન સિંદૂર : ધ અનટોલ્ન્સ્ટોરી ઓફ ઇન્ડિયા ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાક્સ્તિાન'
વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે અમે આ ફિલ્મ માટે આર્મ્ડ ફોર્સીસની ઘણી વિંગ્સ સાથે ગ્રાઉન્ડ લેવલ રિસર્ચ કર્યું છે.


