Entertainment

100થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર દિગ્ગજ એક્ટરનું નિધન, રજનીકાંત અને ચિરંજીવી સાથે હતી ગાઢ મિત્રતા

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને નિર્માતા જીવી નારાયણ રાવનું 73 વર્ષની વયે નિધન થયું છે. 100થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર રાવ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી તાલીમ લીધા બાદ, તેમણે 1976માં પદાર્પણ કર્યું હતું. મેગાસ્ટાર ચિરંજીવી અને રજનીકાંતના નજીકના મિત્ર, તેમના નિધનથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

100થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર દિગ્ગજ એક્ટરનું નિધન, રજનીકાંત અને ચિરંજીવી સાથે હતી ગાઢ મિત્રતા

South Cinema Veteran Actor GV Narayana Rao Passed Away: 100થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને નિર્માતા જીવી નારાયણ રાવનું નિધન થઈ ગયું છે. તેમણે 73 વર્ષની ઉંમરે બુધવાર સાંજે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના નિધનના સમાચાર સામે આવતા જ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ. ઘણા કલાકારો અને ફિલ્મી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમના નિધનને સિનેમા જગત માટે મોટી ક્ષતિ ગણાવી છે.

હેલ્થ ઈશ્યૂથી ઝઝૂમી રહ્યા હતા અભિનેતા

જીવી નારાયણ રાવ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમના નિધન પર મૂવી આર્ટિસ્ટ્સ એસોસિએશને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ખાસ વાત એ છે કે, તેઓ મેગાસ્ટાર ચિરંજીવીના અત્યંત નજીકના મિત્રોમાં સામેલ હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું.

પહેલી જ ફિલ્મથી બનાવી ઓળખ

કૃષ્ણા જિલ્લાના કુરુમદ્દલી ગામમાં જન્મેલા જીવી નારાયણ રાવે મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી હતી. વર્ષ 1976માં તેમણે પ્રખ્યાત નિર્દેશક કે. બાલાચંદરની ફિલ્મ 'અંથુલેની કથા'થી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. પહેલી જ ફિલ્મમાં તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને તેમને સર્વશ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટર માટે નંદી પુરસ્કાર પણ મળ્યો હતો.

100થી વધુ ફિલ્મોમાં કર્યો અભિનય

ત્યારબાદ તેમણે 'મુત્યાલા પલ્લાકી', 'ઓકા ઊરી કથા', 'ચિલકમ્મા ચેપ્પિંદિ' અને 'ઊરુકિચ્ચિના માટા' જેવી ફિલ્મોમાં કામ કર્યું. પોતાના લગભગ પાંચ દશકના કરિયરમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને પોતાની એક અલગ ઓળખ બનાવી.

ચિરંજીવી અને રજનીકાંત સાથે હતી ખાસ મિત્રતા

જીવી નારાયણ રાવની મિત્રતા માત્ર ચિરંજીવી સાથે જ નહીં, પરંતુ સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ ખૂબ જ ખાસ હતી. બંને મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં એક જ બેચના વિદ્યાર્થીઓ હતા. ત્યાંથી જ બંનેની મિત્રતા શરૂ થઈ અને જિંદગીભર કાયમ રહી.

ચિરંજીવી સાથે કરી ફિલ્મો

ચિરંજીવી સાથે તેમણે 'ચટ્ટાનિકી કલ્લૂ લેવૂ', 'મંચૂ પલ્લાકી', 'રાજા વિક્રમાર્ક', 'ગેંગ લીડર' અને 'હિટલર' જેવી ફિલ્મોમાં કામ કર્યું. પડદા પર પણ બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

નિર્માતા તરીકે પણ સફળ રહ્યા

જીવી નારાયણ રાવે માત્ર અભિનય જ નહીં, પરંતુ ફિલ્મ નિર્માણમાં પણ પોતાની ઓળખ બનાવી. તેમણે ચિરંજીવીની 'દેવાન્તકુડુ' અને 'યમુડિકી મોગુડુ' જેવી ફિલ્મો બનાવી. 'યમુડિકી મોગુડુ'ની તમિલ રિમેક પણ તેમણે બનાવી હતી, જેમાં રજનીકાંત નજર આવ્યા હતા.

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો

ફિલ્મો ઉપરાંત તેઓ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા રહ્યા, જેમાં તેમણે ઘણી હિટ ધારાવાહિકોમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી. લગભગ પાંચ દશક સુધી સિનેમા સાથે જોડાયેલા રહેલા જીવી નારાયણ રાવનું નિધન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી ક્ષતિ છે.