સિદ્ધાર્થ અને કિયારા પણ હવે પોતે ફિલ્મ નિર્માતા બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: બોલીવૂડમાં ફિલ્મ સ્ટાર્સ હવે નિર્માતા બનવાના ચાળે ચડયા છે. અનુષ્કા શર્મા, ક્રિતી સેનોન, આલિયા ભટ્ટ નિર્માત્રી બન્યા બાદ તાજેતરમાં કાર્તિક આર્યને પણ તેનો ડોપામાઇન સ્ટુડિયોઝ શરૂ કર્યો છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ ફિલ્મ નિર્માતા બનવાના માર્ગે આગળ વધવા માંગે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાને 'શેરશાહ' અને 'મિશન મજનુ' બાદ તેંની કારકિર્દીને આગળ ધપાવે તેવા કોઇ પ્રોજેક્ટ મળતો નથી. સિદ્ધાર્થ અને કિયારા બંને બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર ગણાતા નથી. આથી મર્યાદિત બજેટની ફિલ્મો બનાવવા તથા ખાસ તો ફિલ્મના જુદા જુદા રાઈટ્સની કમાણી માટે તેમણે જાતે નિર્મતા બનવાનું નક્કી કર્યું છે.
ફિલ્મના નિર્માતા તરીકે એક મોટો ફાયદો એ થાય છે કે ફિલ્મના ક્રિયેટિવ અને પ્રોડકશન કન્ટ્રોલ તેમની પાસે હોવાને કારણે તેઓ તેમને અનુકૂળ હોય એ પ્રકારની ફિલ્મો બનાવી શકે છે. શરૂઆતમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની 'કપૂર એન્ડ સન્સ' અને 'હસી તો ફસી' ટાઇપની ફિલ્મો જોવા મળી શકે છે.









