- ફિલ્મ ધાર્યા કરતાં વધુ મોડી થશે
- અગાઉ સંજય લીલા ભણશાળીએ આ બંને કલાકારોની તારીખો વેડફી નાખી હતી
અગાઉ રણબીર, વિકી કૌશલ તથા આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે પોતાની સળંગ તારીખો આપી દીધી હતો. પરંતુ, સંજય લીલા ભણશાળીએ પોતાની સ્ટાઈલ પ્રમાણે શૂટિંગ બેહદ ધીમી ગતિએ આગળ વધાર્યું હતું. તેના કારણે રણબીર તથા વિકી કૌશલે આપેલી તારીખોના અનેક દિવસો વેડફાઈ ગયા હતા.
હવે પરિસ્થિતિ એ છે કે આલિયા ભટ્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ વિકી કૌશલ તથા રણબીરના અનેક સીન્સ બાકી છે. જોકે, હવે રણબીર અને વિકી કૌશલ પાસે સંજય લીલા ભણશાળીને અનુકૂળ તારીખો નથી. રણબીર 'રામાયણ' પાર્ટ ટુના શૂટિંગમાં બીઝી થઈ ગયો છે જ્યારે વિકી કૌશલે પોતાની તારીખો 'મહાવતાર' ફિલ્મ માટે ફાળવી દીધી છે.
જાન્યુઆરી ૨૦૨૪માં એનાઉન્સ થયેલી આ ફિલ્મ મૂળ તો ડિસેમ્બર ૨૦૨૫માં રીલિઝ કરી દેવાનો પ્લાન હતો. તે પછી તેની રીલિઝ ડેટ માર્ચ ૨૦૨૬ પર ઠેલાઈ હતી. પરંતુ, હવે આ ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ થઈ શકશે કે કેમ તે અંગે આશંકાઓ સેવાય છે.


