Mahi Vij and Jay Bhanushali Divorce : ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અને લોકપ્રિય કપલ માહી વિજ અને જય ભાનુશાલીએ આખરે તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી દીધી છે. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેમના 14 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો છે. આ સમાચાર સામે આવતા જ તેમના ચાહકો ભાવુક થઈ ગયા છે, કારણ કે માહી અને જયને લાંબા સમયથી એક મજબૂત અને ખુશહાલ જોડી માનવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી બંનેના અલગ થવાના અહેવાલો આવી રહ્યા હતા, જેના પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
14 વર્ષ બાદ તૂટ્યો સંબંધ
માહી વિજ અને જય ભાનુશાલીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ નિર્ણય તેમણે ખૂબ જ વિચારીને અને શાંતિથી લીધો છે. બંનેએ સ્પષ્ટ કર્યું કે તેમના સંબંધમાં કોઈ પણ પ્રકારનો દોષ કે કોઈ "વિલન" નથી. આ અલગ થવાનો નિર્ણય કોઈ નકારાત્મકતાને કારણે નહીં, પરંતુ માનસિક શાંતિ, પરસ્પર સન્માન અને સારા ભવિષ્ય માટે લેવામાં આવ્યો છે.
ઈન્સ્ટા પર મૂકી પોસ્ટ
પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કપલે લખ્યું, "આજે અમે એક એવા વળાંક પર પહોંચ્યા છીએ જે જીવનને અમારા માટે પસંદ કર્યો છે... શાંતિ માટે, અમારા બાળકો માટે, ખુશી માટે અને સૌથી જરૂરી એકબીજા માટે, અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સૌથી પહેલા સારા મિત્રો રહીશું... જોકે હવે અમારો રસ્તો અલગ છે, પરંતુ આ નિર્ણયમાં કોઈ ખલનાયક નથી. આ વાર્તા કોઈ નકારાત્મકતા કે કોઈ ખોટા વિશે નથી. કૃપા કરીને સમજો કે અમે આ પગલું શાંતિ અને અમારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉઠાવી રહ્યા છીએ... અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે અમારા આ નિર્ણયનું સન્માન કરો."
સાથે મળીને કરશે દીકરીની સંભાળ
જય અને માહીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની 6 વર્ષની દીકરી તારાની સંભાળ અત્યાર સુધીની જેમ જ સાથે મળીને કરતા રહેશે. આ ઉપરાંત, તેઓ તેમના દત્તક લીધેલા બાળકોની પણ સાથે મળીને દેખભાળ કરશે. માહી વિજ અને જય ભાનુશાલીના લગ્ન વર્ષ 2011માં થયા હતા અને તેઓ ટીવીના સૌથી લોકપ્રિય યુગલોમાંના એક ગણાતા હતા. લગ્ન પહેલાં બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, માહી હાલમાં 'સહર હોને કો હૈ' શો દ્વારા 9 વર્ષ બાદ ટીવીની દુનિયામાં કમબેક કરીને છવાયેલી છે. જ્યારે જય ઘણા શો હોસ્ટ કરી ચૂક્યો છે અને હાલમાં તે વિદેશ પ્રવાસે છે.


