Entertainment

સ્વરા ભાસ્કર પણ સોનૂ સૂદની જેમ પરપ્રાંતીય મજૂરોને ઘર ભેગા કરી રહી છે

By GS Team
30 May 20201 min read
This article was originally published on 30 May 2020
સ્વરા ભાસ્કર પણ સોનૂ સૂદની જેમ  પરપ્રાંતીય મજૂરોને ઘર ભેગા કરી રહી છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  29 મે 2020, શુક્રવાર

સ્વરા ભાસ્કર હવે મજૂરોની મદદ માટે ઊતરી છે. તેણે દિલ્હીમાં રહેતા બિહાર અને ઉત્તર પ્રદેશના શ્રમિકોને ઘરભેગા કરવા માટે ઝુંબેશ ઉપાડી છે. 

સ્વરાએ કહ્યું હતું કે, ઘરે જવા માટે ઉતાવળા થયેલા લાચાર બેરોજગાર મજૂરોની પીડા જોઇ શકાતી નથી. આ માનવીય સંકટમાં તેમની વહારે આવવા માટે મારું દિલ દ્રવી હયું અત્યાર સુધી મેં ૧૩૫૦ મજૂરોને દિલ્હીથી પોતાના ઘરે પહોંચાડયા છે. 

સ્વરાએ જણાવ્યું હતું કે, લાખો મજૂરોની મુસીબતો મારાથી જોવાઇ નહીં. મને થયું કે હું ઘરમાં આરામથી બેઠી રહું અને આ લોકો પોતાના ઘરે જવા માટે વલખા મારી રહ્યા છે. મને મારી જાત પ્રત્યે નફરત થઇ હતી અને આ અપરાધ બોઝમાંથી બહાર નીકળવા માટે હું આ લોકોની મદદ કરવા માટે મજબૂર થઇ. 

સ્વરાએ પોતાની ટીમ સાથે આ મજૂરોને ઘરભેગા કરવા માટે મજૂરોની સંખ્યાની જાણકારી મેળવી હતી. આ પછી સ્વરાએ દિલ્હી સરકારના સહયોગથી મજૂરોને ટિકીટ અપાવાનું સુનિશ્ચિત કરાવ્યું. તેણે અત્યાર સુધીમાં ૧૩૫૦ મજૂરોને ઉત્ર પ્રદેશ અને બિહાર પોતાના ઘરે મોકલ્યા છે. 

સોનૂ સૂદ અને અભિનેતા પ્રકાશ રાજે પણ આ જ બીડુ ઝડપ્યું છે. લાખો લોકોએ લોડડાઉનમાં સરકાર પાસે પોતાના ઘરે પહોંચવા માટે પોકાર કરી હતી.