Entertainment

સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં રામચરણને બદલે ધનુષ ગોઠવાયો

By GS Team
30 Apr 20261 min read
સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં રામચરણને બદલે ધનુષ ગોઠવાયો

- ઐતિહાસિક વિષય પર ફિલ્મ બનવાની છે

- ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરૂ થવાની શક્યતાઃ અન્ય કલાકારો હવે જાહેર થશે

મુંબઈ : સંજય લીલા ભણશાળી એક ઐતિહાસિક  સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી  રહ્યા છે. તેમાં તેમણે અગાઉ રામચરણને કાસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. 

પરંતુ, હવે રામચરણને બદલે ધનુષ આ ફિલ્મમાં ગોઠવાઈ ગયો હોવાનું કહેવાય છે. 

આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણશાલીના બેનર હેઠળ કરવામાં આવશે. 

દિગ્દર્શન પી.એસ. મિથ્રનનું હશે.  ફિલ્મનુ શૂટિંગ ૨૦૨૭માં શરૂ થવાની  શક્યતા છે.  ફિલ્મની અન્ય કાસ્ટ ની વિગતો હવે પછી જાહેર થવાની શક્યતા છે.