Entertainment

VIDEO: કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો દિલજીત દોસાંઝ ભડક્યો! શો અટકાવી આપ્યો જવાબ

By GS Team
3 May 20262 mins read
TukuTouch Logo
એક્ટર-સિંગર દિલજીત દોસાંઝ હાલમાં તેના 'ઓરા ટુર' દરમિયાન કેનેડાના કેલગરીમાં પરફોર્મ કરી રહ્યો હતો. દિલજીતે કોન્સર્ટને ત્યારે અધવચ્ચે જ અટકાવી દીધો જ્યારે તેને જોયું કે કેટલાક પ્રેક્ષકો ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવી રહ્યા હતા. આ વિશે વાત કરતા તેને કહ્યું કે-, 'જ્યારે પણ તક મળી છે, તેમણે પંજાબ વિશે વાત કરી છે. ચેરિટી કરવી એ તેમનું કામ નથી.'

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો દિલજીત દોસાંઝ ભડક્યો! શો અટકાવી આપ્યો જવાબ

Diljit Dosanjh Rebukes Khalistani Supporters: એક્ટર-સિંગર દિલજીત દોસાંઝ હાલમાં તેના 'ઓરા ટુર' દરમિયાન કેનેડાના કેલગરીમાં પરફોર્મ કરી રહ્યો હતો. દિલજીતે કોન્સર્ટને ત્યારે અધવચ્ચે જ અટકાવી દીધો જ્યારે તેને જોયું કે કેટલાક પ્રેક્ષકો ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવી રહ્યા હતા. આ વિશે વાત કરતા તેને કહ્યું કે-, 'જ્યારે પણ તક મળી છે, તેમણે પંજાબ વિશે વાત કરી છે. ચેરિટી કરવી એ તેમનું કામ નથી.'

ખાલિસ્તાન સમર્થકોને આપ્યો કડક જવાબ

ઇન્ટરનેટ પર વાઈરલ થયેલા વીડિયોમાં કેટલાક દર્શકો ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સિંગર-એક્ટરે અધવચ્ચે જ પોતાનો કોન્સર્ટ રોકી દીધો હતો. પોતાના સાથી પંજાબીઓ તરફથી મળતી ટીકાઓનો જવાબ આપતા તેમણે કહ્યું, 'મારું કામ ચેરિટી કરવાનું નથી. પરંતુ હું જે પણ પ્લેટફોર્મ પર જાઉં છું, હંમેશા પંજાબ વિશે વાત કરું છું.'

માત્ર મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટનો હેતુ

દિલજીત દોસાંઝે કોઈપણ ખચકાટ વિના સ્ટેજ પરથી જ તે પ્રદર્શનકારીઓને ફટકાર લગાવી અને સાફ શબ્દોમાં કહ્યું કે કોન્સર્ટનો હેતુ માત્ર મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ છે, નહીં કે કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ કે વિવાદને પ્રોત્સાહન આપવાનો. 

પંજાબ માટે હંમેશા કામ કર્યું છે!

સિંગરે આગળ કહ્યું, ‘લોકો અવારનવાર કહે છે કે નેશનલ મીડિયા પંજાબ વિશે વધુ વાત નથી કરતું. હું પંજાબ માટે બધે જ ગયો. મેં ત્યાં પંજાબના મુદ્દા ઉઠાવ્યા. જ્યારે પણ જરૂર પડી, મેં મારા રાજ્યને દિલ ખોલીને દાન પણ આપ્યું છે.’ વર્ષ 2025માં, દિલજીત એક્ટર અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) માં આવ્યા હતો અને તેને ત્યાંથી મળેલી રકમ પંજાબમાં પૂર પીડિતોને દાન કરી દીધી હતી.

જિમી ફેલનના શોમાં પણ કર્યો પંજાબનો ઉલ્લેખ

દિલજીત હાલમાં જિમી ફેલનના શો 'ધ ટુનાઈટ શો'માં સામેલ થયા હતા, જેના વિશે વાત કરતા તેમણે કહ્યું, ‘હું તો જિમી ફેલનના શોમાં પણ પંજાબ અને 'ગુરુ નાનક જહાજ' વાળી ઘટના વિશે વાત કરવા ગયો હતો. હું ત્યાં કોઈ ફિલ્મ કે ગીતના પ્રમોશન માટે ગયો ન હતો. હું ત્યાં પંજાબ અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓને દુનિયા સામે લાવવા ગયો હતો, જેથી નેશનલ મીડિયા પણ તેના પર ધ્યાન આપે. જો તમને હજુ પણ આ વાતથી કોઈ વાંધો હોય કે હું ટેલિવિઝન પર કોઈની સામે બેઠો હતો... તો જેટલા ઝંડા બતાવવા હોય, બતાવતા રહો.'