Get The App

અરિજીત સિંહ એઆર રહેમાન અને પ્રીતમ સાથે કામ નથી ઈચ્છતો? ખુદ ટ્વિટ કરીને જુઓ શું લખ્યું

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
અરિજીત સિંહ એઆર રહેમાન અને પ્રીતમ સાથે કામ નથી ઈચ્છતો? ખુદ ટ્વિટ કરીને જુઓ શું લખ્યું 1 - image

Image Source: Twitter

Arijit Singh Recent Tweet Viral: અરિજીત સિંહે જ્યારથી પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરી છે, ત્યારથી તેમના ચાહકો પરેશાન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર અરિજીત અને તેના ચાહકો વચ્ચે વાતચીત થતી રહે છે. હવે તાજેતરના એક ટ્વીટમાં અરિજિતે કંઈક એવું લખ્યું જેનાથી લોકો ભાત-ભાતની અટકળો લગાવી રહ્યા છે. અરિજીતે પોતાના ચાહકોને નામે એક પોસ્ટ લખી હતી. તેના પર એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે, અરિજીતને પ્રીતમ, રહેમાન અને મિથુન પાસેથી મળતા અસાઈનમેન્ટ લેતા રહેવું જોઈએ. તેના પર અરિજીતે જવાબ આપ્યો કે કેટલાક લોકો માત્ર પોતાના માટે જ કમ્પોઝ કરે છે.


અરજિતે X પર શું લખ્યું?

અરિજીત સિંહે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાહકોના નામે એક ટ્વીટ કર્યું છે કે, 'આ મેસેજ માત્ર મારા શ્રોતાઓ માટે છે. જો તમે મને નથી સાંભળતા તો તમને વિનંતી કરું છું કે, તમે આ મેસેજ ન વાંચો તેને હમણા જ છોડી દો અને આગળ વધો. મારા પ્રિય મિત્રો! હું બસ તમને એ કહેવા માગું છું કે હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. આ ક્રૂર દુનિયામાં તમારી દયા અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. ભલે મેં હવે નવા પ્રોજેક્ટ લેવાનું બંધ કરી દીધું છે, પરંતુ જૂના ગીતોની યાદી હજું નાની નથી. મારે હજું ઘણા બધા ગીતો પૂરા કરવાના છે. લોકોને સ્પષ્ટતા આપવામાં અથવા વાત સમજાવવામાં પોતાનો સમય બરબાદ ન કરો, આખરે કેટલી વાર સમજાવશો? ઘણા બધા ગીતો હજું અધૂરા છે અને જ્યાં સુધી તે પૂરા ન થઈ જાય ત્યાં સુધી તે રિલીઝ થતા રહેશે. કદાચ આ આખું વર્ષ અથવા તો બની શકે કે આગામી વર્ષ સુધી પણ તે રિલીઝ થતા રહેશે. શાંતિથી રહો. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી બહાર નીકળવાનો પ્રયાસ કરો. પોતાના શરીરને શુદ્ધ કરો, આ 5Gથી દૂર રહો. પ્રેમ વહેંચો, વાંચો અને મેડિટેશન કરો. '

જય દેવી! અરિજીતે એ પણ લખ્યું કે, કોઈને નથી ખબર કે આગળ શું થવાનું છે. 

આ પણ વાંચો: Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી 'કેરળમ'ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર?

યુઝરની કમેન્ટ પર અરિજીતનો જવાબ

હવે આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરી કે, 'તમારા શ્રોતાઓ તરફથી નમ્ર વિનંતી છે કે તમે પ્રીતમ, મિથુન અને રહેમાન તરફથી મળતા અસાઈનમેન્ટ લેવાનું બંધ ન કરો.' તેના પર અરિજીતે જવાબ આપ્યો કે, 'કેટલાક લોકો માત્ર પોતાના માટે જ કમ્પોઝ કરે છે, બધા માટે નહીં.' આના પર યુઝરે જવાબ આપ્યો કે, 'મને બીજા વિશે ખબર નથી, પરંતુ પ્રીતમે તમને પોતાના બેસ્ટ કમ્પોઝિશન આપ્યા છે, અને અમે બધા તમારી શક્ય તેટલા વધુ કમ્પોઝિશન સાંભળવા માગીએ છીએ.'