Daily Current Affairs

PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ 8૦મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં 'વિશેષ અતિથિ'

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટ, 2026ના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનારા 80મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં PM વિશ્વકર્મા યોજનાના 100 લાભાર્થીઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ યોજના પરંપરાગત કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવા, કૌશલ્ય તાલીમ, ₹15,000 ટૂલકિટ પ્રોત્સાહન અને 5% વ્યાજ દરે ₹3,00,000 સુધીની લોન પૂરી પાડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ 8૦મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં 'વિશેષ અતિથિ'

કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટ, 2026ના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત થનારા દેશના 8૦મા સ્વતંત્રતા દિવસ સમારોહ માં દિલ્હી-NCR ક્ષેત્રમાંથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના 100 લાભાર્થીઓને વિશેષ અતિથિ (Special Guests) તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Scheme)

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ ભારત સરકાર દ્વારા દેશના પરંપરાગત કારીગરો અને શિલ્પકારો (વિશ્વકર્મા) ને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વકાંક્ષી યોજના છે.

1. મુખ્ય ઉદ્દેશ્ય (Key Objectives)

  • પરંપરાગત કૌશલ્ય ધરાવતા કારીગરોના વારસાને જાળવી રાખવો.
  • કારીગરોને આધુનિક તાલીમ, ટૂલકિટ અને વ્યાજબી દરે ધિરાણ (લોન) પૂરું પાડીને તેમના વ્યવસાયનો વિકાસ કરવો.
  • ઉત્પાદનોની ગુણવત્તા સુધારવી અને તેમને સ્થાનિક તથા વૈશ્વિક બજાર સાથે જોડવા.

2. યોજના હેઠળ મળતા મુખ્ય લાભો (Benefits)

  • ઓળખ અને સન્માન: PM વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ.
  • કૌશલ્ય વિકાસ (Skill Training):
    • 5 થી 7 દિવસની બુનિયાદી (Basic) તાલીમ.
    • ઇચ્છુક કારીગરો માટે 15 કે તેથી વધુ દિવસની અદ્યતન (Advanced) તાલીમ.
    • તાલીમ દરમિયાન દરરોજ ₹5૦૦ નું સ્ટાઇપેન્ડ અને ₹1,000 પરિવહન ભથ્થું
  • ટૂલકિટ પ્રોત્સાહન (Toolkit Incentive): તાલીમ પૂર્ણ કર્યા પછી આધુનિક ટૂલ્સ ખરીદવા માટે ₹15,૦૦૦ ની ગ્રાન્ટ કે ઈ-વાઉચર.
  • નાણાકીય સહાય (Collateral-free Credit Support):
    • પ્રથમ તબક્કામાં: ₹1,૦૦,૦૦૦ સુધીની લોન (18 મહિનાની મુદત).
    • બીજા તબક્કામાં: ₹2,૦૦,૦૦૦ સુધીની લોન (30 મહિનાની મુદત).
    • વ્યાજ દર: માત્ર 5% (બાકીનું વ્યાજ સરકાર દ્વારા સબસિડી રૂપે ચૂકવવામાં આવે છે).
  • ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહન: દરેક ડિજિટલ લેવડ-દેવડ પર પ્રોત્સાહક રકમ.

3. સુથાર, લુહાર, હોડી બનાવનાર, તાળા બનાવનાર, કુંભાર, મોચી, વાણંદ જેવા 15 પરંપરાગત વ્યવસાયોનો સમાવેશ

4. પાત્રતા (Eligibility)

  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • અરજદાર હાથથી અથવા ઓજારોથી કામ કરતા પરંપરાગત કારીગર હોવા જોઈએ.
  • એક પરિવારમાંથી કોઈપણ એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • સરકારી સેવામાં હોય તેવા વ્યક્તિઓ આ યોજના માટે પાત્ર નથી.