Business

RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, પહેલી ઓક્ટોબરથી FDના નિયમ બદલાશે, દરેક બ્રાન્ચમાં મળશે સમાન વ્યાજ

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
RBIએ FD ગ્રાહકો માટે 1 ઓક્ટોબરથી નવા નિયમો જાહેર કર્યા છે. હવે તમામ બેંકોની દરેક શાખામાં એક જ સમયગાળાની FD પર સમાન વ્યાજ દર લાગુ પડશે. અગાઉ, કેટલીક બેંકો અલગ-અલગ શાખાઓમાં જુદા વ્યાજ દર ઓફર કરતી હતી, જે હવે બંધ થશે. આ નિર્ણયથી ગ્રાહકોને વધુ પારદર્શિતા અને સરળ સરખામણીનો લાભ મળશે, ખાસ કરીને સિનિયર સિટીઝન્સને ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, પહેલી ઓક્ટોબરથી FDના નિયમ બદલાશે, દરેક બ્રાન્ચમાં મળશે સમાન વ્યાજ

RBI Announces New FD Norms: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મૂકનારા ગ્રાહકો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBI દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો મુજબ, પહેલી ઓક્ટોબરથી તમામ બેન્કો માટે એફડી (FD) પર વ્યાજ દરના નિયમો વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવ્યા છે. હવે કોઈપણ બેન્ક તેની અલગ-અલગ શાખાઓ (બ્રાન્ચો)માં એક જ સમયગાળાની FD પર અલગ-અલગ વ્યાજ દર આપી શકશે નહીં.

તમામ બ્રાન્ચમાં એક સમાન વ્યાજ દર લાગુ થશે

નવા નિયમો લાગુ થયા બાદ, દેશની તમામ સરકારી, ખાનગી અને પ્રાદેશિક બેન્કોએ પોતાની દરેક શાખામાં સમાન ડિપોઝિટ સ્કીમ અને સમાન વ્યાજ દર જાળવી રાખવાના રહેશે. અગાઉ કેટલીક બેન્કો ચોક્કસ વિસ્તારો કે શાખાઓમાં ગ્રાહકોને આકર્ષવા માટે થોડા વધુ કે અલગ વ્યાજ દરો ઓફર કરતી હતી, જેના પર હવે પ્રતિબંધ મુકાશે.

ગ્રાહકોને શું ફાયદો થશે?

•પારદર્શિતા વધશે: ગ્રાહકોને પોતાની બેન્કની કોઈપણ શાખામાંથી એકસરખું જ વ્યાજ મળશે, જેથી વ્યાજ દરો અંગેનો ભ્રમ દૂર થશે.

•સરળ સરખામણી: ગ્રાહકો માટે વિવિધ બેન્કોના વ્યાજ દરોની સરખામણી કરવી વધુ સરળ બનશે.

•ભેદભાવનો અંત: શહેરી કે ગ્રામીણ શાખાઓ વચ્ચે વ્યાજ દરને લઈને થતો ભેદભાવ નાબૂદ થશે.

RBIના આ પગલાથી સામાન્ય બેંકિંગ ગ્રાહકો અને ખાસ કરીને સીનિયર સિટીઝન્સ, જેઓ ફિક્સ્ડ ડિપોઝિટમાં વધુ રોકાણ કરે છે, તેમને મોટો લાભ અને સ્પષ્ટતા મળશે.