Business

ફુગાવો વધશે તો રેપો રેટમાં વધારો કરવા MPC સભ્યોએ આપેલો સંકેત

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: આગામી મહિનાઓમાં ફુગાવો વધવાની શક્યતા વચ્ચે, RBIની મોનેટરી પોલિસી કમિટીના સભ્યોએ વ્યાજ દરમાં સંભવિત વધારાનો સંકેત આપ્યો છે. ઓગસ્ટની બેઠકમાં રેપો રેટ 5.25% યથાવત રખાયો હતો, પરંતુ ફુગાવાના બદલાતા વલણને કારણે ભવિષ્યમાં પોલિસી રેટમાં ફરીથી વધારો કરવો પડી શકે છે. જો આમ થશે, તો લોન મોંઘી બનશે અને EMI વધી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફુગાવો વધશે તો રેપો રેટમાં  વધારો કરવા MPC સભ્યોએ આપેલો સંકેત

ફુગાવાના વલણને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં પોલિસી રેટને ફરીથી સમાયોજિત કરવાની જરૂર પડી શકે
અમદાવાદ : આગામી મહિનાઓમાં ફુગાવો વધવાની અપેક્ષાઓ વચ્ચે, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિના સભ્યોએ વ્યાજ દરમાં સંભવિત વધારાનો સંકેત આપ્યો છે. ઓગસ્ટની નાણાકીય નીતિ સમિતિની બેઠકની મિનિટ્સ સૂચવે છે કે ફુગાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં વધારો જરૂરી બની શકે છે.
છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિએ ઓગસ્ટની બેઠકમાં સતત ચોથી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં, પોલિસી રેપો રેટ ૫.૨૫% પર છે.
વ્યાજ દરમાં વધારાના સૌથી સ્પષ્ટ સંકેત રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર અને નાણાકીય નીતિ વિભાગના પૂનમ ગુપ્તા તરફથી આવ્યા હતા. તેમના મતે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના ત્રીજા ક્વાર્ટરમાં કોર ફુગાવો ૫.૯% સુધી વધી શકે છે. જો ફુગાવો અપેક્ષા મુજબ વધે છે, તો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજ દરમાં વધારો જરૂરી બની શકે છે.
જોકે, ઓગસ્ટની બેઠકમાં, સમિતિએ વર્તમાન વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય લીાૃધો હતો. આનાથી રિઝર્વ બેંકને ફુગાવા અને આિર્થક વૃદ્ધિ પરના નવા ડેટાનું મૂલ્યાંકન કરવા માટે વાૃધારાનો સમય મળશે.
રિઝર્વ બેંક ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષમાં સરેરાશ ફુગાવો માત્ર ૨% હતો. આ જ સમયગાળા દરમિયાન, પોલિસી રેપો રેટ ઘટાડીને ૫.૨૫% કરવામાં આવ્યો હતો. જોકે, ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાની સ્થિતિ બદલાઈ રહી છે. આ વર્ષે અત્યાર સુાૃધી, કોર ફુગાવો સરેરાશ ૩.૯૩% રહ્યો છે. કોર ફુગાવા ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં કોર ફુગાવો પણ વધવાની ધારણા છે.
રિઝર્વ બેંક અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં કોર ફુગાવો સરેરાશ ૪.૩% હોઈ શકે છે. કોર ફુગાવો, જેમાં કિંમતી ાૃધાતુઓની અસરને બાકાત રાખવામાં આવી છે, તે નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર સુાૃધીમાં વ્યાપક કોર ફુગાવાની નજીક પણ પહોંચી શકે છે. ગવર્નર મલ્હોત્રાના મતે, બદલાતા ફુગાવાના વલણને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં પોલિસી રેટને ફરીથી સમાયોજિત કરવાની જરૂર પડી શકે છે.
હાલમાં, રેપો રેટ ૫.૨૫% પર રહે છે, તેથી આ બેઠક પછી લોન વ્યાજ દરો પર તાત્કાલિક કોઈ અસર થશે નહીં. જો કે, જો આગામી મહિનાઓમાં ફુગાવો વધે છે અને રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરે છે, તો રેપો રેટ સાથે જોડાયેલી હાઉસિંગ, વાહન અને અન્ય લોન વાૃધુ મોંઘી થઈ શકે છે. આનાથી લોન લેનારાઓના માસિક હપ્તા અથવા લોનની મુદતમાં વધારો થઈ શકે છે.