Get The App

સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ 1 - image


IOCL Issued Strict Orders To Dealers : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક વૈશ્વિક તણાવની સીધી અસર દુનિયાભરના એનર્જી સપ્લાય પર પડી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. 

ગ્રાહકોને ઓછું તેલ આપશો તો કાર્યવાહી કરાશે: ઈન્ડિયન ઓઈલ

એવામાં દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને મેદાનમાં આવીને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો છે. ઇન્ડિયન ઓઇલે પોતાના તમામ પેટ્રોલ પંપ ડીલર્સને આંતરિક આદેશ મોકલીને સ્પષ્ટ ચેતવણી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ વિશેષ લેખિત આદેશ ન મળે, ત્યાં સુધી કોઈ પણ પેટ્રોલ પંપ પર ઇંધણની વેચાણ મર્યાદા નક્કી કરી શકાશે નહીં. જો કોઈ ડીલર સપ્લાય રોકશે અથવા ગ્રાહકોને ઓછું તેલ આપશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

IOCLનો દાવો હે કે દેશ તેલનો કોઈ સ્ટોક ખૂટ્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ પંપોની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે મોટા અને જથ્થાબંધ ગ્રાહકો સીધા કંપનીઓ પાસેથી તેલ ખરીદતા હતા, તેઓ હવે સીધા સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પર આવીને લાઈનો લગાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં અફવાઓ ફેલાઈ રહી છે.