Botad

રખડતા કૂતરાઓનો ત્રાસ, ચાર મહિનામાં 25 લોકોને કરડયા

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પરની તુલસી સોસાયટીમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે. છેલ્લા 4-5 મહિનામાં 25 લોકોને કરડ્યા છે, જેમાં બાળકો અને સિનિયર સિટીઝનનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશનને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ છે. નિલેશ દેસાઈએ જણાવ્યું કે, અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે, કોઈ ઉકેલ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રખડતા કૂતરાઓનો ત્રાસ, ચાર મહિનામાં 25 લોકોને કરડયા

શહેરના વાઘોડિયા રોડ પરની તુલસી સોસાયટીમાં રખડતા કૂતરાઓના આતંકથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.આ કૂતરાઓ છેલ્લા ચાર થી પાંચ મહિનામાં ૨૫ લોકોને કરડી ચૂકયા છે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી થઈ રહી નથી.
સોસાયટીના રહેવાસી નિલેશ દેસાઈએ કહ્યું હતું કે, રખડતા કૂતરાઓએ છેલ્લા ચાર મહિનાથી અમારી સોસાયટીને માથે લીધી છે.નાના બાળકોથી માંડી સિનિયર સિટિઝન અને સોસાયટીમાં આવતા ડિલિવરી બોયઝને પણ કૂતરાઓ કરડી ચૂકયા છે.છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વ્યક્તિઓ તેનો ભોગ બન્યા છે અને તેમાં દસ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે.તેમનું કહેવું છે કે, આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રજૂઆત કરી છે.આમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.કોર્પોરેશનના અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે પણ કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી.આ સોસાયટીમાં નાના બાળકોના ટયુશન પણ ચાલે છે.જો કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો ગમે ત્યારે આ બાળકો કે તેમને લેવા મૂકવા આવતા વાલીઓને પણ કૂતરા કરડવાનું જોખમ રહેલું છે.