રક્ષાબંધન પર્વે એસ.ટી. વિભાગ રોજ ૫૦ બસો એક્સ્ટ્રા દોડાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી ૨૮ ઓગસ્ટે ઉજવાનારા રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
તા. ૨૩થી ૨૯ ઓગસ્ટ દરમિયાન રોજની ૫૦ એક્સ્ટ્રા બસો દોડાવવાની તૈયારી કરાઈ છે. મુસાફરોની માગ અને ભીડને ધ્યાનમાં રાખીને જરૃરિયાત મુજબ બસોની સંખ્યામાં વધારો કરાશે.
વધારાની બસો વડોદરાથી સુરત, અમદાવાદ અને રાજકોટ તરફના રૃટ પર દોડાવવામાં આવશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત તરફ મહેસાણા અને હિંમતનગર, જ્યારે પંચમહાલ અને આસપાસના વિસ્તારો માટે દાહોદ અને ઝાલોદ તરફ પણ વધારાની બસો દોડાવાશે.
હાલ વડોદરા એસટી વિભાગ હેઠળ કુલ ૪૨૫ એસટી બસો દોડી રહી છે અને રોજ ૮૨ હજાર મુસાફરો એસટી સેવાનો લાભ લઈ રહ્યા છે. રક્ષાબંધન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વિભાગ દ્વારા વધારાની બસો મૂકાઈ છે.









