વડોદરામાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથાયાત્રા નીકળશે,ડોગસ્કવોડ દ્વારા ચેકિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં આવતીકાલે ગુરૃવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે પોલીસ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ઇસ્કોન દ્વારા આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૪૫મી રથયાત્રા કાઢવામાં આવનાર છે.જે સ્ટેશન પાસે હિરક બાગ પાસેથી નીકળી પોલોગ્રાઉન્ડ બરોડા સ્કૂલ સુધી પહોંચશે.રથયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવે છે અને હજારો ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે.
રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ૩૦૦૦થી વધુ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે અને રથ ફરતે સુરક્ષા કવચ અપાતું હોય છે.આ દરમિયાન શહેરના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવતા હોવાથી પોલીસે જરૃર હોય તો જ આવા રસ્તા પર બપોર બાદ અવરજવર કરવા અપીલ કરી છે.
આજે સાંજે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.જ્યારે ડોગ સ્કવોડ દ્વારા રથ,મંદિર વિસ્તાર અને રૃટના અન્ય સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.પોલીસે ખોટી અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી છે અને સાયબર સેલની ટીમ પણ સોશ્યલ મીડિયા પર વોચ રાખી રહી છે.









