Astro

સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 4 દિવસ બાદથી 4 રાશિના જાતકો પર થશે બમ્પર ધનવર્ષા

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
વર્ષ 2026માં 17 ઓગષ્ટના રોજ સૂર્ય અને કેતુનો દુર્લભ સંયોગ સિંહ રાશિમાં થશે. આ દિવસે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં ગોચર કરશે, જ્યાં કેતુ પહેલેથી જ બિરાજમાન હશે. આ ઘટનાથી શક્તિશાળી ગ્રહણ યોગ બનશે. આ સંયોગ મેષ, મિથુન, તુલા અને ધન રાશિ માટે માન-સન્માન અને ધનલાભના અવસર લાવશે. મકર અને કુંભને મિશ્ર ફળ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 4 દિવસ બાદથી 4 રાશિના જાતકો પર થશે બમ્પર ધનવર્ષા

Surya Ketu 2026: 17 ઓગષ્ટ 2026ના રોજ જ્યોતિષીય દૃષ્ટિકોણથી એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી છાયા ગ્રહ કેતુ બિરાજમાન છે. વર્ષો બાદ સિંહ રાશિમાં સૂર્ય અને કેતુ એક સાથે આવવાથી શક્તિશાળી ગ્રહણ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

જોકે, વૈદિક જ્યોતિષમાં ગ્રહણ યોગને સંઘર્ષ અને માનસિક ઉતાર-ચઢાવનો કારક માનવામાં આવે છે, પરંતુ સૂર્યના પોતાની જ રાશિમાં બળવાન હોવાના કારણે આ ગોચર બધી રાશિઓ માટે નકારાત્મક રહેશે નહીં. આ દુર્લભ સંયોગના પ્રભાવથી કેટલીક રાશિઓના જીવનમાં માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને ધન લાભના મોટા અવસર બનવા જઈ રહ્યા છે.

મેષ રાશિ

પાંચમા ભાવમાં આ યુતિ બનવાથી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે. અચાનક ધન લાભની તક મળશે. શેર માર્કેટ અથવા રોકાણથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં શુભ પરિણામ મળી શકે છે.

મિથુન રાશિ

ત્રીજા ભાવમાં આ ગોચર તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થશે. ટૂંકા અંતરની યાત્રાઓથી નાણાકીય લાભ અને નવા બિઝનેસ સંપર્ક બની શકે છે.

તુલા રાશિ

એકાદશ (લાભ) ભાવમાં આ યુતિ આવકના નવા સ્ત્રોત ખોલી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સામાજિક દાયરામાં પ્રતિષ્ઠા વધશે અને મોટા અધિકારીઓનું સમર્થન મળશે.

ધન રાશિ

નવમા (ભાગ્ય) ભાવમાં આ ગોચર આધ્યાત્મ અને ધર્મ પ્રત્યે રુચિ વધારશે. ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કાર્ય પણ સરળ બની જશે. વિદેશ સબંધિત બિઝનેસ અથવા ઉચ્ચ શિક્ષાના પ્રયાસમાં સફળતા મળવાના યોગ છે.

મકર રાશિ

અન્ય રાશિઓની તુલનામાં મકર અને કુંભ રાશિના જાતકોને મિશ્ર પ્રભાવ જોવા મળશે, પરંતુ સાચી યોજનાથી તેઓ પણ આ સમયગાળામાં પોતાના વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશે.

શુભ પ્રભાવ વધારવા અને ગ્રહણ યોગના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય

  • દરરોજ સૂર્ય દેવને તાંબાના કળશથી જળ અર્પણ કરો.
  • ॐ સૂર્યાય નમ: અને ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરો.
  • રવિવારે ઘઉં, ગોળ અથવા તાંબાની વસ્તુઓનું દાન કરો.