એક્ટિવ થઈ ગયો છે ગ્રહણ યોગ! અઢી દિવસ સુધી આ 4 રાશિના જાતકોને થશે નુકસાન, જાણો બચવાનો ઉપાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandra Ketu Yuti 2026: જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન, ભાવના અને માતાનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુ એક છાયા અને રહસ્યમય ગ્રહ છે. દ્રિક પંચાંગ પ્રમાણે 13 ઓગસ્ટે એટલે કે આજે સવારે 6:07 વાગ્યે ચંદ્ર કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં ગોચર કરી ચૂક્યો છે. સિંહ રાશિમાં માયાવી ગ્રહ કેતુ પહેલાથી જ બિરાજમાન છે, જેના કારણે સિંહ રાશિમાં ચંદ્ર-કેતુની યુતિથી અત્યંત સંવેદનશીલ ગ્રહણ યોગ બની રહ્યો છે.
જ્યોતિષીય ગણતરીઓ પ્રમાણે જ્યારે પણ ચંદ્રની યુતિ કેતુ સાથે બને છે, ત્યારે વ્યક્તિનું મન અશાંત રહે છે, અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાય છે અને માનસિક મૂંઝવણ વધે છે. ચંદ્ર લગભગ અઢી દિવસમાં પોતાની રાશિ પરિવર્તન કરે છે, તેથી આગામી અઢી દિવસ આ યુતિનો પ્રભાવ વિશેષ રૂપે જોવા મળશે. આવો જાણીએ કઈ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ સાવધાન રહેવાની જરૂર છે.
કર્ક રાશિ
ચંદ્ર તમારી રાશિનો સ્વામી છે. બીજા (ધન અને વાણી) ભાવમાં કેતુ સાથે ચંદ્રની યુતિ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારી વાણી પર કડક નિયંત્રણ રાખો. પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ધન હાનિના યોગ છે. અનિચ્છનીય ખર્ચાઓ બજેટને બગાડી શકે છે, તેથી કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો.
સિંહ રાશિ
આ યુતિ તમારી જ રાશિના પ્રથમ (લગ્ન) ભાવમાં બની રહી છે, જેની સીધી અસર તમારા મન અને સ્વાસ્થ્ય પર પડશે. તમે કોઈપણ કારણ વગર તણાવ, ગભરાટ અને ચીડિયાપણું અનુભવી શકો છો. ઉતાવળમાં કોઈ મોટો બિઝનેસ સબંધિત કે વ્યક્તિગત નિર્ણય ન લો. માથાનો દુ:ખાવો, અનિદ્રા અથવા માનસિક બેચેનીની સમસ્યા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આ ગ્રહણ યોગ તમારી રાશિના દસમા (કર્મ) ભાવમાં બની રહ્યો છે, જે તમારા કાર્યક્ષેત્રને પ્રભાવિત કરશે. ઓફિસમાં સહકર્મીઓ અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળો. કોઈ અન્ય વ્યક્તિ તમારા કામનો શ્રેય લેવાનો પ્રયાસ કરી શકે છે. અત્યારે નોકરી બદલવાનો વિચાર ટાળો અને તમારા કામમાં પારદર્શિતા જાળવી રાખો.
મકર રાશિ
તમારી રાશિના આઠમા (રહસ્યમય અને સંકટ) ભાવમાં ચંદ્ર અને કેતુની યુતિ બની રહી છે, જે અચાનક સમસ્યાઓનો સંકેત આપે છે. વાહન ચલાવતી વખતે કે મુસાફરી કરતી વખતે વિશેષ સાવધાની રાખો. કોઈપણ પ્રકારના જોખમી રોકાણથી દૂર રહો. પેટ કે પાચન સંબંધી સમસ્યા પરેશાન કરી શકે છે.
ચંદ્ર-કેતુ દોષથી બચવાના સરળ ઉપાય
ભગવાન શિવની ઉપાસના
શિવલિંગ પર કાચુ દૂધ અને જળ અર્પણ કરો. 'ॐ નમ: શિવાય' મંત્રનો જાપ કરો.
ચંદ્ર દેવનો મંત્ર
માનસિક શાંતિ માટે 'ॐ સોં સોમાય નમ:' મંત્રનો જાપ કરો.
દાન કાર્ય
ગરીબોને સફેદ વસ્તુઓનું દાન કરો.









