ધનતેરસ-દિવાળી પર લક્ષ્મીજી-ગણેશજીની મૂર્તિ ખરીદતા પહેલા ખાસ જાણી લેજો આ નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Laxmi Ganesh Idol For Diwali : દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. ભગવાન શ્રીરામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાશ ભોગવીને અયોધ્યા પધાર્યા હતા તેની ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર પહેલા લોકો ઘરમાં સફાઈ અને ખરીદી કરવામાં વ્યસ્ત હોય છે. જો તમે દિવાળીની પૂજા માટે લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરુરી છે. આમ કરવાથી તમારા ઘરમાં સુખ- સમૃદ્ધિ બની રહે છે, અને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ આવો આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થવાનો છે, લોકો પહેલાથી જ તેની તૈયારીઓ શરુ કરી દેતા હોય છે. દિવાળીના થોડા દિવસો પહેલા ઘરની સફાઈ અને ખરીદી શરૂ થઈ જાય છે. ત્યારબાદ, આખો પરિવાર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવા માટે ભેગો થાય છે અને ખૂબ જ ધામધૂમથી તહેવાર ઉજવે છે. જો તમે દિવાળીની પૂજા માટે લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. તેથી માં લક્ષ્મી અને ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. તો, ચાલો વિગતવાર જાણીએ કે મૂર્તિઓ ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ.
દિવાળીની પૂજા માટે ગણેશ મૂર્તિ ખરીદવાના નિયમો
ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ખાતરી કરો કે તેની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય. જમણી બાજુની સૂંઢ અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ખાતરી કરો કે સૂંઢમાં બે વળાંક ન આવતા હોય.
દિવાળી માટે માં લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ખાતરી કરો કે, આ મૂર્તિઓ એકબીજા સાથે જોડાયેલી ન હોય. આવી મૂર્તિ ખરીદવી અશુભ માનવામાં આવે છે. સૌથી શ્રેષ્ઠ એ છે કે, દરેક મૂર્તિઓ અલગ અલગ રાખવી.
જ્યારે પણ તમે ભગવાન ગણેશની મૂર્તિ ખરીદો છો, ત્યારે એ ધ્યાન રાખો કે, તેમના હાથમાં મોદક હોય. આવી મૂર્તિ ઘરે લાવવાથી સુખ - સમૃદ્ધિ આવે છે. ઉપરાંત, ખાતરી કરો કે ભગવાન ગણેશ સાથે તેમનું વાહન ઉંદર હોય.
દિવાળી પૂજા માટે દેવી લક્ષ્મીની મૂર્તિ ખરીદવાના નિયમો
ક્યારેય પણ દેવી લક્ષ્મીની મૂર્તિ ઊભી સ્થિતિમાં હોય તેવી ન ખરીદો. આવી મૂર્તિ લક્ષ્મી પ્રસ્થાન કરતાં હોય તેવું દર્શાવે છે. જેથી તમારે હંમેશા બેઠેલી મુદ્રામાં હોય તેવી દેવીની મૂર્તિ ખરીદવી જોઈએ.
માતા લક્ષ્મીની મૂર્તિમાં ખાતરી કરો કે, દેવી તેમના વાહન, ઘુવડ પર બેઠેલી ન હોય. દેવી લક્ષ્મીની આવી મૂર્તિ કાલીનું પ્રતીક માનવામાં આવે છે.
દિવાળી પૂજા માટે તમારે દેવી લક્ષ્મીની એવી મૂર્તિ ખરીદવી જોઈએ, જેમાં લક્ષ્મીજી કમળના ફૂલ પર બેઠા હોય. આ ઉપરાંત તેમનો હાથ વર્મુદ્રામાં હોવો જોઈએ, જે ધનનો વરસાદ કરે છે.
દિવાળી પૂજા માટે દર વર્ષે લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ બદલો
એવી માન્યતા છે કે, દિવાળી પૂજા માટે દર વર્ષે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બદલવી જોઈએ. દર વખતે એક જ મૂર્તિથી પૂજા કરવી યોગ્ય માનવામાં આવતી નથી. તેથી, દિવાળી આવે ત્યારે લક્ષ્મી અને ગણેશની જૂની મૂર્તિનું વિસર્જન કરો અને ઘરમાં નવી મૂર્તિને સ્થાપિત કરો. જો કે, જો તમારી પાસે ગણેશની ચાંદી કે પિત્તળની મૂર્તિઓ હોય તો તેને ગંગાજળથી સાફ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો: ધનતેરસે કઈ વસ્તુ ખરીદવી અતિશુભ? દિવાળી પર રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો 4 સવાલોના જવાબ
માટીની મૂર્તિઓ શ્રેષ્ઠ
દિવાળી પૂજા માટે માટીની મૂર્તિઓનો ઉપયોગ કરવો હંમેશા શુભ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ માટીની મૂર્તિઓની પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. એવી માન્યતા છે કે, ગંગા નદી, કુવા, ગૌશાળા વગેરેની માટીમાંથી બનેલી લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓની પૂજા કરવાથી અત્યંત શુભ પરિણામો મળે છે. તમે ગંગાજળથી શુદ્ધ કર્યા પછી ચાંદીની મૂર્તિઓનો પણ ઉપયોગ કરી શકો છો.




