Ahmedabad

અમદાવાદમાં આભ ફાટ્યું! સાબરમતીના છારાનગર-રબારીવાસમાં મકાનો ડૂબ્યા, 11 લોકોનું ધાબા પરથી રેસ્ક્યુ

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં ભારે વરસાદને કારણે સાબરમતીના છારાનગર-રબારીવાસમાં જળબંબાકાર થયો હતો. પરિણામે, 11 લોકો મકાનના ધાબા પર ફસાયા હતા. ફાયર વિભાગને જાણ કરાતા, ટીમે ત્વરિત કાર્યવાહી કરી. વૃદ્ધો સહિત તમામ 11 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં આભ ફાટ્યું! સાબરમતીના છારાનગર-રબારીવાસમાં મકાનો ડૂબ્યા, 11  લોકોનું ધાબા પરથી રેસ્ક્યુ

Ahmedabad rain update: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગર-રબારીવાસમાં પણ પાણીનું સ્તર ભયજનક રીતે વધી જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થતાં મકાનોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે 11 જેટલા સ્થાનિકોએ મજબૂરીવશ પોતાના મકાનના ધાબા પર આશરો લેવો પડ્યો હતો.

11 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ

સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બનાવ અંગે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ અમદાવાદ ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે વરસાદ અને પૂરમાં સમયસૂચકતા દાખવીને અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક તંત્રના ઝડપી પ્રતિસાદને કારણે પાણીમાં ફસાયેલા વૃદ્ધો સહિત તમામ 11 લોકોને ધાબા પરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી

રેસ્ક્યુ કરાયેલા તમામ નાગરિકોને પ્રાથમિક સુરક્ષા અને મદદ પૂરી પાડ્યા બાદ, તેઓને સલામત સ્થળે તેમજ તેમના સગા-સંબંધીઓના ઘરે ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની સમયસરની કામગીરી અને સતર્કતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી.