વાવ-થરાદ કલેક્ટર કચેરીએ દલિત સમાજના આંદોલન વચ્ચે યુવકની તબિયત લથડી, રામધૂન બોલાવી વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav Tharad Dalit Community Protest : વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલું ધરણાં પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. મોરીખા ગામના મૃતક દલિત યુવક લખીરામના શંકાસ્પદ મોત મામલે ન્યાય મેળવવા માટે સમાજના લોકો છેલ્લા બે દિવસથી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. કલેક્ટર કચેરીએ જ્યા સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટે સમાજના લોકો મક્કમ છે.

ધરણાં દરમિયાન દલિત યુવકની તબિયત બગડી, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
ધરણાં પ્રદર્શનના કાર્યક્રમ દરમિયાન મોડી રાત્રે એક દલિત યુવકની તબિયત અચાનક બગડી હતી. જેથી ત્યાં હાજર દલિત સમાજના કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને યુવકને વધુ સારવાર અર્થે રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આંદોલનકારી યુવકની તબિયત લથડતાં સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને આંદોલનની તીવ્રતા વધી ગઈ છે.

કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવી તંત્ર સામે નોંધાવ્યો અનોખો વિરોધ
મક્કમતા સાથે ધરણાં પર બેઠેલા દલિત સમાજના લોકોએ તંત્રને જગાડવા અને સદબુદ્ધિ આપવા માટે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવવાનું શરૂ કર્યું હતું. આંદોલનકારીઓએ રામધૂન ગાઈને તંત્ર સામે ન્યાયની માગણી સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વાવ-થરાદ તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે તેવી સ્પષ્ટ માગ સાથે દલિત સમાજનો વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યો છે.
શું છે સમગ્ર વિવાદ કેમ દલિત સમાજ ધરણા કરી રહ્યો છે વાંચવા કરો ક્લિક










