Valsad

ભાવનગરના લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ વલસાડના ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે શનિવારે 'આપ'ના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં દારૂના વેચાણ પર રોક લગાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરના લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું

Valsad News : ભાવનગરમાં લઠ્ઠાકાંડની બનેલી ગંભીર ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં આજે શનિવારે આમ આદમી પાર્ટી દ્વારા વલસાડના ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકાર પર આકરા પ્રહારો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રાજયમાં દારૂના વેચાણ પર રોક લગાવવા માંગ કરી હતી.
સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનારા ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વલસાડના ટાવર ખાતે આજે શુક્રવારે આમ આદમી પાર્ટીના પ્રમુખ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં પણ સરકાર સામે આકરા પ્રહારો કર્યો હતા. એટલું જ નહીં પણ કાર્યકરોએ સત્તાની છત્રછાયામાં બુટલેગરો બેફામ અને કાયદો લાચાર બન્યા, હપ્તાખોરી, ભ્રષ્ટાચાર અને બુટલેગરો સામે ગુજરાતના ગૃહમંત્રી નતમસ્તક, ગુજરાતમાં હપ્તારાજ લાવ્યું બુટલેગરોનું રાજના બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

7.jpg


લઠ્ઠાકાંડની ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજયમાં ચાલતા ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી રોક લગાવવા માંગ કરી હતી. આમ આદમી પાર્ટીએ પોતાના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું કે લોકોના જીવન અને સુરક્ષા સાથે ચેડાં કરતી આવી ગંભીર ઘટનાઓ સામે પાર્ટી સતત અવાજ ઉઠાવતી રહેશે અને લોકહીત માટે લડત ચાલુ રાખશે એમ જણાવ્યું હતું.