EPFOમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકાય? લગ્ન, ઘર અને બીમારી માટેના નિયમો અને મર્યાદા સમજો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO Advance Withdrawal Rules : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) દ્વારા સભ્યો માટે ઍડ્વાન્સ ઉપાડની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. જૂન 2025માં EPFO દ્વારા લાયક ઍડ્વાન્સ દાવાઓ માટે ઓટો-સેટલમેન્ટ મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે. આ સુવિધા હેઠળ ગંભીર બીમારી, શિક્ષણ, લગ્ન અને આવાસ માટેના દાવાઓ સિસ્ટમ વેલિડેશન અને પાત્રતાના આધારે 3 દિવસની અંદર થઈ શકે છે, જો કે આ સુવિધાનો અર્થ એ નથી કે દરેક દાવો આપમેળે મંજૂર થઈ જશે.
કઈ-કઈ પરિસ્થિતિઓમાં મળી શકે છે ઍડ્વાન્સ?
બીમારી (Illness): સભ્ય અથવા પરિવારની ચોક્કસ બીમારીઓની સારવાર માટે મૂળભૂત વેતન અને મોંઘવારી ભથ્થાના 6 મહિના અથવા કર્મચારીના હિસ્સા અને વ્યાજમાંથી જે ઓછું હોય તેટલી રકમ ઉપાડી શકાય છે.
બેરોજગારી (Unemployment): જો કોઈ સભ્ય 1 મહિનાથી વધુ સમય માટે બેરોજગાર રહે છે, તો લાગુ પડતી ઍડ્વાન્સ જોગવાઈ હેઠળ કુલ PF બેલેન્સના 75 ટકા સુધીની રકમ કાઢી શકાય છે.
આવાસ (Housing): ઘર ખરીદવા, બનાવવા કે પ્લોટ મેળવવા તેમજ હોમ લોનની ચુકવણી માટે PF જમા રકમના 90 ટકા સુધીનો ઉપાડ કરી શકાય છે.
શિક્ષણ અને લગ્ન (Education & Marriage): બાળકોના શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે અગાઉ કર્મચારીના હિસ્સાના 50 ટકા સુધીની મર્યાદા હતી. ઑક્ટોબર 2025માં EPFOના સેન્ટ્રલ બોર્ડે આંશિક ઉપાડ માટે ન્યૂનતમ સેવાની આવશ્યકતા ઘટાડીને 12 મહિના કરવાની મંજૂરી આપી છે, જેથી સભ્યોએ અરજી કરતા પહેલાં પોર્ટલ પર નવીનતમ પાત્રતા ચકાસી લેવી જોઈએ.
નિવૃત્તિ ભંડોળને સુરક્ષિત રાખવાની સલાહ
EPFO દ્વારા ભલે ઍડ્વાન્સ ઉપાડની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હોય, પરંતુ EPF એ મૂળરૂપે નિવૃત્તિ માટેની બચત છે. કોઈપણ આર્થિક જરૂરિયાત ઊભી થાય ત્યારે PFમાંથી નાણાં ઉપાડતા પહેલાં તે ખર્ચ ખરેખર અત્યંત જરૂરી છે કે કેમ અને અન્ય કોઈ નાણાકીય વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. PF નાણાંનો ઉપયોગ નિયમિત રોકડ સ્ત્રોત તરીકે કરવાને બદલે માત્ર કટોકટીના સમયના નાણાકીય સુરક્ષા કવચ તરીકે જ કરવો જોઈએ.




