Utility

ગ્રાહકો ધ્યાન આપે: ઓનલાઇન અને મોલમાં ખાંડની ખરીદી પર મર્યાદા લાગુ, જાણો હવે કેટલા કિલોથી વધુ નહીં મળે

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
તહેવારોમાં ખાંડની વધતી માંગ વચ્ચે સંગ્રહખોરી રોકવા D-Mart, BigBasket, Blinkit અને Swiggy Instamart જેવા પ્લેટફોર્મ્સે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપરમાર્કેટમાંથી એક ઑર્ડરમાં 3થી 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં. આંતરિક નીતિ હેઠળ લેવાયેલો આ નિર્ણય સરકારી આદેશ નથી. સરકારે દેશમાં ખાંડનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રાહકો ધ્યાન આપે: ઓનલાઇન અને મોલમાં ખાંડની ખરીદી પર મર્યાદા લાગુ, જાણો હવે કેટલા કિલોથી વધુ નહીં મળે

Sugar Purchase Limit Online Quick Commerce: તહેવારોની સીઝન શરૂ થતાં જ ઘરોમાં મીઠાઈઓ અને વાનગીઓ બનાવવા માટે ખાંડની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ દરમિયાન જો તમે ઓનલાઇન ક્વિક-કોમર્સ એપ કે સુપરમાર્કેટમાંથી મોટા પ્રમાણમાં ખાંડ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. ગ્રાહકો દ્વારા થતી બિનજરૂરી સંગ્રહખોરી અને વેપારીઓ દ્વારા થતાં કાળાબજારને રોકવા માટે જાણીતા રિટેલર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સે ખાંડની ખરીદી પર મર્યાદા લાગુ કરી દીધી છે.

એક ઑર્ડરમાં 3થી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

D-Mart, BigBasket, Blinkit અને Swiggy Instamart જેવા ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ્સ પર ગ્રાહકો માટે ખાંડ ખરીદવાની આંતરિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવેથી એક ગ્રાહક એક વખતમાં માત્ર 3થી 5 કિલો સુધી જ ખાંડ ખરીદી શકશે. કેટલીક એપ્સે આ લિમિટ ઘટાડીને માત્ર 3 કિલો સુધીની કરી દીધી છે.

કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય કોઈ સરકારી આદેશથી નહીં પરંતુ તેમની પોતાની આંતરિક પોલિસી હેઠળ લેવાયો છે, જેથી દરેક ગ્રાહકને પૂરતો જથ્થો મળી રહે અને કોઈ એક જ વ્યક્તિ આખો સ્ટોક ખરીદીને કૃત્રિમ અછત ઊભી ન કરે.

દેશમાં સ્ટોકની કોઈ અછત નથી, ISMA અને સરકારની સ્પષ્ટતા

ખાંડની અછતના અહેવાલો વચ્ચે 'ઇન્ડિયન શુગર ઍન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન'(ISMA) અને સરકાર દ્વારા ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે દેશમાં ખાંડનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. નવી સીઝનમાં શેરડીનું પિલાણ શરૂ થતાં જ અને નવી આયાત આવતા ખાંડના ભાવો પણ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહીને માત્ર જરૂરિયાત મુજબ જ ખરીદી કરવા અપીલ કરી છે.