કેન્દ્ર સરકાર આપે છે 20 લાખની લોન એ પણ ગેરન્ટી વગર, જાણો કોને મળી શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Modi Government's PM Mudra Yojna: કેન્દ્ર સરકાર યુવાનો અને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહેલા લોકોને આર્થિક મદદ આપવા માટે 20 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. માત્ર નવો બિઝનેસ શરૂ કરવા માટે જ નહીં, પરંતુ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માટે પણ સરકારી મદદ આ યોજના હેઠળ મળે છે. આ સ્કીમ છે પીએમ મુદ્રા યોજના (PM Mudra Yojana) અને તેની સૌથી ખાસ વાત એ છે કે આમાં કોઈ પણ પ્રકારની ગેરંટી નથી આપવી પડતી, કારણ કે આ કોલેટરલ ફ્રી લોન છે.
ચાર કેટેગરીમાં 20 લાખની લોન
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયાની ગેરન્ટી ફ્રી લોન આપવામાં આવે છે. લોનની આ રકમ પહેલા 10 લાખ રૂપિયા હતી, પરંતુ સરકારી સ્કીમને મળેલ રિસ્પોન્સ અને લાભાર્થીઓને વધુ આર્થિક મદદ આપવાના હેતુથી સરકારે તેને વધારીને બમણી કરી દીધી હતી. PMMY હેઠળ 4 કેટેગરીમાં બિઝનેસ કરનારાઓને લોન આપવામાં આવે છે, જેથી તેઓ સમયાંતરે પોતાના બિઝનેસને વધારી શકે.
આવી રીતે મળે છે પૂરી લોનની રકમ
પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં જે ચાર કેટેગરીમાં લોન આપવામાં આવે છે, તેમાં પહેલી છે શિશુ કેટેગરી અને તેના હેઠળ 50 હજાર રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ કિશોર કેટેગરી હેઠળ 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન મંજૂર કરવામાં આવે છે. તરુણ કેટેગરી હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા અને તરુણ પ્લસ હેઠળ 10 થી 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
8મું પાસ પણ કરી શકે છે એપ્લાય
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ શૈક્ષણિક લાયકાત માટે કોઈ ખાસ લિમિટ સેટ કરવામાં નથી આવી અને આમાં 8મું પાસ વ્યક્તિ પણ અરજી કરીને સરકારી આર્થિક મદદ મેળવી શકે છે. કોઈ પણ ભારતીય નાગરિક આનો લાભ લઈ શકે છે. ખાસ કરીને આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2015માં એવા લોકો માટે રજૂ કરવામાં આવી હતી, જેઓ ખુદનો બિઝનેસ શરૂ કરવા માંગે છે.
બિઝનેસ પ્લાન લોન મેળવવા માટે જરૂરી
પીએમ મુદ્રા સ્કીમ હેઠળ લોન મેળવવા માટે તમારી પાસે એક મજબૂત બિઝનેસ પ્લાન હોવો જરૂરી છે. આ સાથે તમે બેન્ક મારફતે મુદ્રા લોન માટે અપ્લાય કરી શકો છો. અપ્લાય કરવા પર સંબંધિત બેન્ક તમારી આવક, કારોબાર, ક્રેડિટ હિસ્ટ્રી, દસ્તાવેજો અને લોન ચૂકવવાની ક્ષમતા જોઈને અરજીનું આકલન કરે છે, ત્યારબાદ જ મંજૂરી આપે છે અને પછી લોનની રકમ જારી કરવામાં આવે છે. લોન પર વ્યાજનો દર બેન્ક અને અરજદારની પ્રોફાઈલના આધારે નક્કી થાય છે.
ક્યાંથી કરી શકો છો અરજી?
PMMY Scheme હેઠળ લોન માટે અરજી કરતી વખતે તમારી પાસે જે જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે, તેમાં અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેણાંકનો પુરાવો, પાસપોર્ટ સાઈઝ ફોટો, એક બિઝનેસ પ્લાન, KYC દસ્તાવેજ અને ઈનકમ પ્રૂફ સામેલ છે. અપ્લાય કરવા માટે તમે ઓનલાઈન https://www.mudra.org.in/ પર જઈને અપ્લાય કરી શકો છો. આ સિવાય તમે બેન્કોમાં જઈને પણ આ યોજના હેઠળ અરજી કરી શકો છો.




