Sports

બાબર-શાહીન આફ્રિદીની શત્રુતાએ પાકિસ્તાની ક્રિકેટને બરબાદ કર્યું? સ્ટાર ક્રિકેટરનો સનસનાટીભર્યો દાવો

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 0-2 થી કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભડકો થયો છે. પૂર્વ બેટ્સમેન બાસિત અલીએ બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી વચ્ચે કપ્તાની વિવાદને ટીમના પતનનું મુખ્ય કારણ ગણાવ્યો છે. PCB એ 7 ખેલાડીઓને પરત મોકલ્યા અને કોચ સહિતના સ્ટાફને હટાવ્યા છે. મિસ્બાહે પણ રાજીનામું આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

બાબર-શાહીન આફ્રિદીની શત્રુતાએ પાકિસ્તાની ક્રિકેટને બરબાદ કર્યું? સ્ટાર ક્રિકેટરનો સનસનાટીભર્યો દાવો

Babar Azam Shaheen Afridi Rift : ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સતત બીજી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભારે આંતરિક વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન બાસિત અલીએ ટીમના પતન માટે બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી વચ્ચે કપ્તાનીને લઈને થયેલા વિવાદને મુખ્યત્વે જવાબદાર ઠેરવ્યો છે. બાસિત અલીના જણાવ્યા અનુસાર, જે દિવસે બાબર અને શાહીન વચ્ચે સુકાનીપદ અંગે તનાતની અને દરાર ઉત્પન્ન થઈ, તે જ દિવસથી પાકિસ્તાન ક્રિકેટનો ખરાબ તબક્કો શરૂ થઈ ગયો હતો.

કપ્તાનીની અસ્થિરતાથી ટીમનું પ્રદર્શન ખોરવાયું

બાબર આઝમે 2023ના વન-ડે વર્લ્ડ કપ બાદ સુકાનીપદ છોડ્યું હતું, ત્યારબાદ શાહીન આફ્રિદીને T20I ટીમનો કપ્તાન બનાવાયો હતો. જોકે, ન્યૂઝીલૅન્ડ પ્રવાસમાં ખરાબ પરિણામો બાદ શાહીન પાસેથી કપ્તાની આંચકીને ફરી બાબરને સોંપવામાં આવી હતી. બાસિત અલીનો દાવો છે કે આ નિર્ણયથી બંને સીનિયર ખેલાડીઓ વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ પડી હતી. 2024ના T20 વર્લ્ડ કપમાં ટીમ સેમિ ફાઇનલ સુધી પણ પહોંચી શકી નહોતી, ત્યારબાદ કપ્તાની વહેંચીને ટેસ્ટમાં બાબર, વન-ડેમાં શાહીન અને T20માં સલમાન અલી આગાને કપ્તાન બનાવાયા હતા.

ઇંગ્લૅન્ડ સામે 0-2થી પાછળ પડતાં PCBની આકરી કાર્યવાહી

ઇંગ્લૅન્ડ સામે લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો 194 રનથી પરાજય થયો હતો. આ હાર સાથે ટીમ 3 મેચોની સિરીઝમાં 0-2થી પાછળ ધકેલાઈ ગઈ છે. આ શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(PCB) આકરા નિર્ણયો લેતાં મોહમ્મદ રિઝવાન અને સલમાન અલી આગા સહિત 7 ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કરીને ઘરે પરત મોકલી દીધા છે. આ ઉપરાંત ટેસ્ટ કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ હેડ ઉમર ગુલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે મિસ્બાહ-ઉલ-હકે સિલેક્શન કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે.

બાબર આઝમનું આઉટ ઑફ ફોર્મ અને શાહીન રેડ-બોલ પ્લાનમાંથી બહાર

શાહ મસૂદના સ્થાને ટેસ્ટ કપ્તાન બનેલા બાબર આઝમની કપ્તાની અને બેટિંગ બંને પર હાલ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયા છે. બાબર છેલ્લા આશરે 4 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો નથી, જે તેના માટે અને ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ, શાહીન આફ્રિદીને પાકિસ્તાનના પ્રવર્તમાન રેડ-બોલ પ્લાનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. બાસિત અલીના મતે, વહીવટીતંત્ર અને કપ્તાનીના ખોટા નિર્ણયોને કારણે પાકિસ્તાન ક્રિકેટ અત્યારે તેના સૌથી નિરાશાજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.