Science & Technology

5G નેટવર્ક કવરેજ સમસ્યાને ખતમ કરવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે બંધ રૂમમાં પણ આવશે સુપરફાસ્ટ સ્પીડ

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે દેશમાં 5G નેટવર્કના કવરેજને સુધારવા મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે મોબાઈલ નેટવર્કના રેડિયેશન નિયમોમાં છૂટછાટ આપતા, 5G બેઝ ટાવર સ્ટેશનની પાવર ડેન્સિટી 5 વોટ પ્રતિ ચોરસ મીટરથી વધારીને 10 વોટ કરી છે. આનાથી સિગ્નલની રેન્જ બમણી થશે, નેટવર્ક વિસ્તરણ ખર્ચ ઘટશે અને યુઝર્સને સ્લો સ્પીડની સમસ્યામાંથી મુક્તિ મળશે. નવા નિયમો આવતા મહિને લાગુ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

5G નેટવર્ક કવરેજ સમસ્યાને ખતમ કરવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે બંધ રૂમમાં પણ આવશે સુપરફાસ્ટ સ્પીડ
AI તસવીર

5G Network Coverage India: શું તમે પણ 5G નો ઉપયોગ કરતી વખતે ક્યારેક નબળા નેટવર્ક જેવી સમસ્યાનો સામનો કરો છો? જો જવાબ હા હોય, તો ખૂબ જ ટૂંક સમયમાં આ પરેશાની દૂર થવા જઈ રહી છે. દેશભરમાં 5Gના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની રહેલી નેટવર્ક કવરેજની સમસ્યાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 5G નેટવર્કને લઈને યુઝર્સને એક સમસ્યાનો સામનો કરવો પડતો હતો, ટાવરથી વધુ અંતર હોવા પર સિગ્નલ નબળા થવા લાગતા હતા, જેનાથી ટેલિકોમ કંપનીઓને દર થોડા મીટર પર ટાવર લગાવવા પડી રહ્યા હતા. હવે સરકારે વર્ષો જૂના કડક રેડિયેશન નિયમોમાં મોટી છૂટછાટ આપી દીધી છે, જેનાથી સિગ્નલની રેન્જ સીધી બમણી થઈ જશે.

રેડિયેશન લિમિટ બમણી થવાથી 5G સિગ્નલની રેન્જ વધશે

સરકારે મોબાઈલ નેટવર્ક માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ એટલે કે રેડિયેશનની સીમામાં છૂટછાટ આપી છે. આ નિર્ણય હેઠળ હવે નવા નિયમો આવતા મહિનાથી લાગુ થશે, જેમાં 5G બેઝ ટાવર સ્ટેશનની પાવર ડેન્સિટીને 5 વોટ પ્રતિ ચોરસ મીટરથી વધારીને 10 વોટ પ્રતિ ચોરસ મીટર કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી મોબાઈલ સિગ્નલ હવે વધુ દૂર સુધી પહોંચી શકશે. આનાથી ટેલિકોમ કંપનીઓને દરેક ટાવરથી વધુ મોટા વિસ્તારમાં નેટવર્ક કવરેજ આપવામાં મદદ મળશે, જેનાથી નેટવર્ક વિસ્તરણના ખર્ચમાં ઘટાડો થશે અને 5G ટ્રાફિક વધ્યા પછી સર્વિસની ક્વોલિટી વધુ સારી બનશે.

ભારતે ICNIRPના વૈશ્વિક રેડિયેશન ધોરણો અપનાવ્યા

રેડિયેશન નિયમોમાં આ છૂટછાટ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની લાંબા સમયથી ચાલી આવતી માંગ હતી. કંપનીઓનો તર્ક હતો કે જૂની કડક સીમાઓ 5Gના અસરકારક કવરેજમાં સમેસ્યા બની રહી હતી. ભારત ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ધોરણોની તુલનામાં ખૂબ કડક રેડિયેશન નિયમોનું પાલન કરી રહ્યું હતું. આ ધોરણો ઈન્ટરનેશનલ કમિશન ઓન નોન-આયોનાઈઝિંગ રેડિયેશન પ્રોટેક્શન (ICNIRP) દ્વારા નક્કી કરવામાં આવે છે, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO ગ્લોબલ એજન્સીઓને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર EMFની અસર અંગે સલાહ આપે છે. શરૂઆતમાં ભારતમાં પાવર ડેન્સિટીની સીમા 1 વોટ પ્રતિ ચોરસ મીટર હતી, જેને ગયા વર્ષે વધારીને 5 વોટ કરવામાં આવી હતી. હવે તેને વધારીને 10 વોટ પ્રતિ ચોરસ મીટર કરી દેવામાં આવી છે, જે સંપૂર્ણપણે ICNIRPની વૈશ્વિક ભલામણો અનુસાર જ છે.

યુઝરની સ્લો સ્પીડની સમસ્યા ઘટશે, કંપનીનો ખર્ચ ઓછો થશે

  • નવા નિયમોથી મોબાઈલ ઓપરેટર્સને ઘણો ફાયદો થશે. હવે તેઓ ઓછા ટાવરોની મદદથી પણ મોટા એરિયાને કવર કરી શકશે, જેનાથી નવા ટાવર લગાવવાનો ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર ઘણો ઓછો થઈ જશે.
  • આ નિર્ણય એ કંપનીઓ માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે, જેઓ અત્યારે 5G રોલઆઉટની પ્રક્રિયામાં છે. વોડાફોન આઈડિયા હવે આ નવી સીમાઓ મુજબ પોતાના 5G નેટવર્કનો પ્લાન તૈયાર કરી શકે છે.
  • તેમજ એરટેલ અને રિલાયન્સ જીઓ, જેઓ પહેલાથી જ પોતાના 5G નેટવર્કનો મોટો હિસ્સો ભારતમાં તૈયાર કરી ચૂકી છે, તેમને પણ પોતાની હાલની સાઈટ્સના વધુ સારા ઉપયોગ અને ભવિષ્યના ખર્ચાઓમાં મોટી રાહત મળશે.
  • ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સને અપનાવવાના કારણે હવે એક જ ટાવરનો સિગ્નલ વધુ દૂર સુધી પહોંચશે. આનાથી જ્યાં ટેલિકોમ કંપનીઓને ફાયદો થશે, તો બીજી તરફ યુઝરને પણ સ્લો સ્પીડ જેવી સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

ભારતના નવા નિયમો 137 દેશોના ધોરણો સાથે મેળ ખાય છે

ભારતનો આ નવો 10 વોટનો નિયમ દુનિયાના લગભગ 137 દેશોના નિયમો સાથે મેચ કરે છે. તેમાં યુરોપિયન યુનિયનના મોટાભાગના દેશો, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોર સામેલ છે. દુનિયાભરમાં લગભગ 135 દેશો ICNIRPના દિશા-નિર્દેશોને અપનાવે છે. ભારતે 2008માં પહેલીવાર આ ધોરણોને અપનાવ્યા હતા, પરંતુ 2012માં નિયમોને ખૂબ કડક કરી દેવામાં આવ્યા હતા.

5G ટેકનોલોજી માટે નવા વૈશ્વિક નિયમો જરૂરી હતા

જૂની સીમાઓ 2G, 3G અને 4G નેટવર્ક માટે તો કોઈક રીતે યોગ્ય હતી, પરંતુ ટેલિકોમ કંપનીઓનું કહેવું હતું કે 5G ની ટેકનોલોજી અને વર્કિંગ સ્ટાન્ડર્ડ સંપૂર્ણપણે અલગ છે. તેથી એ જ જૂની સીમાઓ 5G માટે ફિટ ન હતી બેસી રહી. તેને જ ધ્યાનમાં રાખીને સરકારે પહેલા ગયા વર્ષે નિયમોમાં થોડી છૂટછાટ આપી હતી અને હવે તેને સંપૂર્ણપણે વૈશ્વિક ધોરણોની બરાબર લાવી દીધા છે.